July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલી મહિલા પૂત્ર જન્‍મ બાદ મરણ પામતા પરિવારે બબાલ કરી

સરોધીની કાજલબેન નાયકાને પ્રસુતિ માટે હોસ્‍પિટલમાં દાખલ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડની કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સરોધી ગામની કાજલબેન નાયકાને પ્રસુતિ માટે દાખલ કરી હતી. પરંતુ પ્રસુતિમાં પૂત્ર જન્‍મ થયા બાદ કાજલની તબિયત વધુ બગડતા મૃત્‍યુ પામી હતી. આ મામલે હોસ્‍પિટલમાં પરિવારજનોએ હોબાળો કરી બબાલ કરતા પોલીસે દરમિયાનગીરી કરીને મામલો માંડ માંડ થાળે પાડયો હતો.
વલસાડ નજીક આવેલ સરોધી ગામની 21 વર્ષિય કાજલબેન રાહુલભાઈ નાયકાને ગત તા.12ના રોજ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરી હતી. જ્‍યાં સમયસર પ્રસુતિ થયેલી, જેમાં પૂત્રનો જન્‍મ થયો હતોપરંતુ ત્‍યારબાદ કાજલની તબિયત વધુ લથડી હતી તેથી આઈ.સી.યુ.માં ખસેડાઈ હતી. જ્‍યાં જરૂરી સારવાર તબિબોએ હાથ ધરીને ગર્ભાશય સંકોચાઈ ગયું હોવાથી ઓપરેશન કરેલું પરંતુ કાજલબેનનું કરુણ મૃત્‍યુ થયું હતું તેથી પરિવારજનોએ હોસ્‍પિટલની બેદરકારીના આક્ષેપો કરી બબાલ કરી હતી. સિટી પોલીસ દોડી આવી હતી. માંડ માંડ મામલો પોલીસે થાળે પાડયો હતો. પી.એમ. રીપોર્ટ બાદ મૃત્‍યુનું સાચું કારણ બહાર આવશે.

Related posts

ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે પ્રાણની બાજી લગાવી દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, ઉધમસિંહ જેવા ક્રાંતિવીરોનું રક્‍ત એમની નસોમાં વહેતું હતું

vartmanpravah

‘ફિટ ઇન્‍ડિયા’ અભિયાન અંતર્ગત સેલવાસમાં 9 જાન્‍યુઆરી, 2025ના ગુરૂવારે આંતર શાળા તારપા નૃત્‍ય સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

vartmanpravah

માંડવાથી કપરાડા સુધીના કુંભઘાટ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન

vartmanpravah

વલસાડ પોલીસે હાઈવે ઉપરથી રૂા.4.36 લાખના દારૂનો જથ્‍થો ભરેલ ડમ્‍પર ટ્રક ઝડપી : ચાલકની અટક

vartmanpravah

Leave a Comment