Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના નરોલી રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નરોલી, સેલવાસ, વાપી વિભાગના તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓને શ્રી ભરતસિંહ ચાવડા અને શ્રી મેહુલસિંહ દેસાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રીના જન્‍મદિવસ નિમિતે માજી સરપંચ શ્રીમતી પ્રીતિબેન દોડીયા અને સમાજના અગ્રણીઓના હસ્‍તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ તાલીમનો ઉદ્દેશ્‍ય રાજપૂત સમાજના દીકરા-દીકરીઓને તલવારબાજી શીખી તલવારનું શું મહત્‍વ છે, શષા ચલાવવાનું કેવી રીતે શીખી શકાય, સ્‍વરક્ષણ તેમજ તેમજ એમનામાં આત્‍મવિશ્વાસનો વધારો થાય રાજપૂત સમાજના પાંચ હજારથી વધુ દીકરા-દીકરીઓને તલવારબાજી શીખવવાનો લક્ષ્ય છે. હાલમાં નરોલીથી એની શરૂઆત કરવામાં આવી છે, બાદમાં દક્ષિણ ગુજરાતના દરેક શહેરો વાપી, વલસાડ, ભરૂચ સુધીના સમાજના દીકરા-દીકરીઓને તલવારબાજીની તાલીમ આપવામાં આવશે. આ અવસરે નરોલી રાજપૂત સમાજના અગ્રણીઓ શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રી યજુવેન્‍દ્રસિંહ, શ્રી રાજેન્‍દ્રસિંહસોલંકી, શ્રી હરેન્‍દ્રસિંહ સોલંકી, કરણી સેનાના પ્રમુખ શ્રી સુમિત પ્રતાપસિંહ રાણા સહિત એમની ટીમ, વલસાડ ભીડભંજન મંદિરના સંચાલક શિવજી મહારાજ સહિત તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ દ્વારા હવેલી ગ્રાઉન્‍ડ, સેલવાસ ખાતે ‘મુંબઈ યુનિવર્સિટી ઝોન – II ઈન્‍ટરકોલેજ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવની દિલ્‍હી બદલીનો આદેશઃ દરેક વિભાગોમાં નિષ્‍ઠા અને કર્મઠતાથી બજાવેલી ફરજ

vartmanpravah

ખાનવેલ ગ્રા.પં.ના 11 આંગણવાડી સેન્‍ટરો ઉપર પૌષ્‍ટિક આહાર કીટ, બિસ્‍કિટ તથા રાગીના લાડુનું કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર

vartmanpravah

Leave a Comment