(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.06
દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 144 હેઠળ એક આદેશ બહાર પાડ્યો છે, જે મુજબ દીવ જિલ્લામાં આવેલી તમામ બેંકોને 24 કલાક અને 365 દિવસની સુવિધા આપવામાં આવશે. બેંકો અને એટીએમ પર સશષા સુરક્ષા ગાર્ડની તૈનાતી ફરજિયાત રહેશે.
દેશના અનેક પ્રાંતોમાં રોજે રોજ કેટલાક અસામાજિક તત્વો બેંકના એટીએમ કે બેંકોમાં લૂંટ અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપતા જોવા મળે છે. કયારેક બેંક કે કોઈપણ એટીએમને અસામાજિક તત્વો લૂંટી લે છે તો કયારેક એટીએમ જ ઉખાડી લે છે. આઘટનાઓને કારણે સરકાર અને સામાન્ય જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બેંકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. દીવમાં આવી ઘટનાઓ નહી બને અને અસામાજિક તત્વો દ્વારા અહીંની પ્રજાની શાંતિમાં ખલેલ નહી પહોંચે, જાહેર સંપત્તિને કોઈ નુકસાન નહી થાય અને માનવ જીવનની સલામતી સામે ગંભીર ખતરો નહી સર્જાય, તે ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરે આદેશ જારી કર્યો છે.
આ આદેશ અનુસાર તમામ બેંકોને તેમની સંબંધિત બેંકો અને એટીમેમાં 24 કલાક સશષા સુરક્ષા ગાર્ડ અથવા ફુલ પ્રુફ સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવા આદેશ કરવામાં આવ્યો છે અને દીવ જિલ્લાના વિવિધ સ્થળોએ ઉભા કરાયેલા એટીએમબેંકોમાં તાત્કાલિક અસરથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં લેવા આદેશમાં જણાવાયું છે.
–