April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા અધ્‍યક્ષ હરિશભાઈ પટેલના નેતૃત્‍વમાં નિકળેલી વિશાળ બાઈક રેલી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ અને ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા દ્વારા પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશ ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ અને ઓ.બી.સી. મોરચાના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. ત્‍યારબાદ વિશાળ બાઈક રેલી પણ યોજવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભાજપના રાષ્‍ટ્રીય ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ ડૉ. કે. લક્ષ્મણ અને પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

ધરમપુર બામટી માર્કેટમાં 3.5 કિ.ગ્રા.ની હાથીજુલ નામની કેરી વેચાણમાં આવતા લોકો જોવા ઉમટી પડયા

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી

vartmanpravah

દાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચાર

vartmanpravah

દાનહઃ ખેરડી ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થી અને યુવાનોની કારકિર્દી ઘડતર માટે કેરિયર કાઉન્‍સિલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામ પંચાયતની મહત્‍વના નિર્ણય માટે મળેલી સામાન્‍ય સભામાં સરપંચના તમામ દાવ નિષ્‍ફળ

vartmanpravah

Leave a Comment