October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘ગાર્બેજ ફ્રી ઈંડિયા” ની થીમ સાથે ‘‘ગાર્બેજ ફ્રી વલસાડ” બનાવવા સ્‍વચ્‍છતાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ જિલ્લામાં 15મી સપ્‍ટેમ્‍બરથી 15મી ઓક્‍ટોબર સુધી ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” -2023 કેમ્‍પેઈનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં ‘ગાર્બેજ ફ્રી ઈન્‍ડિયા’ ની થીમ સાથે શરૂ કરાયેલા આ કેમ્‍પેઈનનો ઉદ્દેશ્‍ય ‘ગાર્બેજ ફ્રી વલસાડ’ બનાવવાનો છે. જેના માટે દૈનિક ધોરણે સ્‍વચ્‍છતાની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
‘‘સ્‍વચ્‍છતા હી સેવા” કેમ્‍પેઈન હેઠળ મુખ્‍યત્‍વે દેખીતી રીતે સ્‍વચ્‍છતા અને સફાઈ મિત્રોના કલ્‍યાણ ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું છે. સ્‍વચ્‍છતા પ્રવૃત્તિઓનો મુખ્‍ય હેતુ સ્‍વૈચ્‍છિકતા અને શ્રમ દાનનો છે. જેમાં રાજ્‍યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોનાં બસ સ્‍ટેન્‍ડ, રેલ્‍વે સ્‍ટેશન, દરિયા કિનારાના પર્યટન સ્‍થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્‍ટ્રીય ઉદ્યાન, અભ્‍યારણ્‍યો, ઐતિહાસિકસ્‍મારકો, હેરિટેજ સ્‍થળો, નદી કિનારા, ઘાટ, નાળા વગેરે જેવા જાહેર સ્‍થળોની સાફ-સફાઈ તેમજ સરકારી સંપત્તિઓના રંગરોગાન, સફાઈ અને બ્રાન્‍ડિંગ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ નિષેધ, સાથે સાથે સૂકા અને ભીના કચરાના ડબ્‍બાઓના ઉપયોગની સમજ હેતુ ‘‘હરા ગિલા સુખા નીલા” ઝુંબેશનું શરૂ કરી સ્‍વચ્‍છતા પ્રવૃત્તિઓ થકી દેખીતી રીતે સ્‍વચ્‍છતા થાય તે મુજબનું આયોજન જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચયત કક્ષાએ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લાના ગામો, શાળા-કોલેજોમાં પણ સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવશે. સ્‍વચ્‍છતા યાત્રાને પ્રોત્‍સાહન આપવા સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરાશે, 15માં નાણાપંચ કે ગ્રામ પંચાયતના ભંડોળમાંથી સ્‍વચ્‍છતા કામદારો માટે પીપીઈ કિટ ખરીદવામાં આવશે.
વલસાડ જિલ્‍લ્લામાં આ અભિયાન અંતર્ગત ભીતચિત્રો દોરવામાં આવશે, તમામ શાળા કોલેજોમાં નિબંધ, ચિત્રકામ અને વક્‍તવ્‍ય સ્‍પર્ધાઓ, આંતર-તાલુકા અને આંતર-પંચાયત સ્‍વચ્‍છતા સ્‍પર્ધા પણ યોજાશે. તમામ જાહેર સ્‍થળોની સફાઈ સાથે સાથે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરમાં સફાઈ મિત્રોનું હેલ્‍થ ચેકઅપ, ગામોમાં બ્‍લેક્‍સ્‍પોટની સફાઈ, વૃક્ષારોપણ, સ્‍વચ્‍છતા સંકલ્‍પ, સ્‍વચ્‍છતા દોડનું આયોજન કરવામાં આવશે. શૌચાલયોનાં ઉપયોગ માટે ઝુંબેશ અને સોકપીટ, કંપોસ્‍ટ પીટ બનાવવાઅંગે લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે.

Related posts

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્‍પસ-સેલવાસ ખાતે સુપ્રીમ કોર્ટના ન્‍યાયમૂર્તિ અને જીએનએલયુના ચાન્‍સેલર જસ્‍ટિસ બેલા એમ. ત્રિવેદીએ નવનિર્મિત મૂટ કોર્ટ હોલ, લીગલ એઈડ ક્‍લિનિક અને લાઈબ્રેરીનું કરેલું ઉ્‌દઘાટન

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment