(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા અથાલ અને નરોલી ગામમાં સરકારી નહેરની જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં અથાલ અને નરોલીમાં સરકારી નહેરની જમીન પર દીવાલ અને અન્ય બાંધકામ રૂપે કરવામાં આવેલ 30થી વધુ અતિક્રમણો પર બુલડોઝર ચલાવી ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. આજ રીતે પ્રદેશમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ આગળ પણ ચાલું રહેશે.
દાનહ જિલ્લા પ્રશાસને દરેક નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે, અગર કોઈ વ્યક્તિ દ્વારા સરકારી જમીન અથવા નહેર પર કોઈપણ અતિક્રમણ કરેલ હશે તો તેને પોતે જ દુર કરી દે નહિ તો પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામા આવશે.