September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

ધર્મ-આસ્‍થા સાથે વિજ્ઞાનનો સમન્‍વય : ઈસરોને બિરદાવાયું

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.20: મંગળવારના મંગલ દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશોત્‍સવ પરંપરાગત આસ્‍થાપૂર્વક ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહામહોત્‍સવ 10 દિવસ સુધી વિવિધ આયોજનો સાથે ભાવિકો ગણેશોત્‍સવની ઉજવણીમાં લીન બની જશે.
મહારાષ્‍ટ્ર-ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગૌરી ગજાનંદ ગણેશોત્‍સવનું મહિમા અપરંપાર જોવા મળી રહ્યુ છે. વલસાડ જિલ્લામાં 1000 ઉપરાંત સાર્વજનિક નાના-મોટા મંડળો દ્વારા ગણેશજીની સ્‍થાપના કરી છે. જેમાં દોઢ, ત્રણ, પાંચ અને દશ દિવસીય ગણેશજી બિરાજમાન કરાયા છે. તે પછી ક્રમશઃ વિસર્જન યાત્રાઓ ભાવિકો દ્વારા ઢોલ નગારા, ડાન્‍સ અને ડીજેના તાલે કરશે. આ વર્ષના ગણેશ મહોત્‍સવમાં એક ખાસિયત ઉડીને આંખે વળગે તેવી જોવા મળી રહી છે. વાપીના અનેક ગણેશ પંડાલોમાં ચન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ છે. જે ધર્મ આસ્‍થા સાથે વિજ્ઞાનનો સમન્‍વય જોવા મળી રહ્યો છે. ભારતના ઝાંબાજ ઈસરોના વૈજ્ઞાનિકોને પણ ધર્મ ઉત્‍સવમાં વણીને ભારોભાર ભાવિકોએ બિરદાવ્‍યા છે. ગમેશ ઉત્‍સવના પ્રારંભમાં થોડુ વરસાદનું વિઘ્‍ન આડે આવેલું પણ ગણેશ ભક્‍તોએ જરાપણ નોંધ લીધા વિના બાપ્‍પાની વાજતે ગાજતે પધરામણી ઠેર ઠેર કરાઈ હતી.

Related posts

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

રખોલી પોલીસે રીક્ષા ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્‍યમ શાળા ખાતે ત્રિ-દિવસીય સ્‍પોર્ટ્‍સ-ડેની ઉજવણી પ્રારંભ

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આજે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

Leave a Comment