Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

ધર્મ-આસ્‍થા સાથે વિજ્ઞાનનો સમન્‍વય : ઈસરોને બિરદાવાયું

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.20: મંગળવારના મંગલ દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશોત્‍સવ પરંપરાગત આસ્‍થાપૂર્વક ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહામહોત્‍સવ 10 દિવસ સુધી વિવિધ આયોજનો સાથે ભાવિકો ગણેશોત્‍સવની ઉજવણીમાં લીન બની જશે.
મહારાષ્‍ટ્ર-ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગૌરી ગજાનંદ ગણેશોત્‍સવનું મહિમા અપરંપાર જોવા મળી રહ્યુ છે. વલસાડ જિલ્લામાં 1000 ઉપરાંત સાર્વજનિક નાના-મોટા મંડળો દ્વારા ગણેશજીની સ્‍થાપના કરી છે. જેમાં દોઢ, ત્રણ, પાંચ અને દશ દિવસીય ગણેશજી બિરાજમાન કરાયા છે. તે પછી ક્રમશઃ વિસર્જન યાત્રાઓ ભાવિકો દ્વારા ઢોલ નગારા, ડાન્‍સ અને ડીજેના તાલે કરશે. આ વર્ષના ગણેશ મહોત્‍સવમાં એક ખાસિયત ઉડીને આંખે વળગે તેવી જોવા મળી રહી છે. વાપીના અનેક ગણેશ પંડાલોમાં ચન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ છે. જે ધર્મ આસ્‍થા સાથે વિજ્ઞાનનો સમન્‍વય જોવા મળી રહ્યો છે. ભારતના ઝાંબાજ ઈસરોના વૈજ્ઞાનિકોને પણ ધર્મ ઉત્‍સવમાં વણીને ભારોભાર ભાવિકોએ બિરદાવ્‍યા છે. ગમેશ ઉત્‍સવના પ્રારંભમાં થોડુ વરસાદનું વિઘ્‍ન આડે આવેલું પણ ગણેશ ભક્‍તોએ જરાપણ નોંધ લીધા વિના બાપ્‍પાની વાજતે ગાજતે પધરામણી ઠેર ઠેર કરાઈ હતી.

Related posts

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક મળી

vartmanpravah

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટાતા ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતો ચિંતાતુર

vartmanpravah

અતિવૃષ્‍ટિના કારણે વલસાડ તાલુકાની શાળા, કોલેજો બંધ રહી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ પણ જોડાયા: સોશિયલ મીડિયામાં શેર કર્યો ભાવુક સંદેશ

vartmanpravah

વલસાડ મેડિકલ કોલેજમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment