March 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

અજીતનાથ દેરાસરમાં સોનાની આંગી તેમજ જીઆઈડીસી
દેરાસરમાં ચાંદીની આંગી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: જૈન પરંપરા અનુસાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની વાપી વિસ્‍તારમાં સમસ્‍ત જૈન સમાજે આસ્‍થા-તપ અને આરાધના સાથે ઉજવણી કરી વાપીના તમામ દેરાસરોમાં સતત પર્યુષણ પર્વ નિમિત્તે સત્‍સંગ-પ્રવચન થતા રહેલા. જેનો હજારો જૈનોએ લાભ લઈને પર્યુષણ પર્વની ઉજવણી કરીને મિચ્‍છામી દુકડમ પાઠવ્‍યા હતા.
પર્યુષણ પર્વનું પ્રમુખ હાર્દ જ એજ છે પર્વમાં ક્ષમાપનાનો મહિમા છે. સંવત્‍સરી પર્વ ક્ષમાપનાનું પર્વ ગણાય છે. વર્ષ દરમિયાન ખુદની ભૂલ હોય તો વિનમ્ર બની માફી માંગવાની છે. કોઈની ભૂલ થઈ હોય તો ઉદારતા દાખવી માફી આપવાની છે. પર્યુષણ પર્વની હાર્દ સત્‍વ જ આજ છે તે અનુસાર દશ દિવસ જૈન સમાજના અબાલ વૃધ્‍ધોએ પુર્યષણની ઉજવણી કરી ઉપવાસ તપસ્‍યા કરી દરેક દેરાસરોમાં મહારાજ સાહેબોના દિવ્‍ય પ્રવચનની વાણી વહેતી હતી. અંતિમ દિને વાપી અજીતનાથ દેરાસરમાં ભગવાનને સોનાની આંગી તેમજ જીઆઈડીસી દેરાસરમાં ચાંદીની આંગી કરી શ્રધ્‍ધેય પૂર્વક જૈન સમાજે પુર્યષણની ઉજવણી કરી હતી.

Related posts

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

વલસાડ સેવા સદનમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં અચાનક આગ લાગી

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

વાપી ગુંજન ઉપાસના સ્‍કૂલમાં ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોની ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં જોવા મળેલો ભારે ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment