અજીતનાથ દેરાસરમાં સોનાની આંગી તેમજ જીઆઈડીસી
દેરાસરમાં ચાંદીની આંગી કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: જૈન પરંપરા અનુસાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની વાપી વિસ્તારમાં સમસ્ત જૈન સમાજે આસ્થા-તપ અને આરાધના સાથે ઉજવણી કરી વાપીના તમામ દેરાસરોમાં સતત પર્યુષણ પર્વ નિમિત્તે સત્સંગ-પ્રવચન થતા રહેલા. જેનો હજારો જૈનોએ લાભ લઈને પર્યુષણ પર્વની ઉજવણી કરીને મિચ્છામી દુકડમ પાઠવ્યા હતા.
પર્યુષણ પર્વનું પ્રમુખ હાર્દ જ એજ છે પર્વમાં ક્ષમાપનાનો મહિમા છે. સંવત્સરી પર્વ ક્ષમાપનાનું પર્વ ગણાય છે. વર્ષ દરમિયાન ખુદની ભૂલ હોય તો વિનમ્ર બની માફી માંગવાની છે. કોઈની ભૂલ થઈ હોય તો ઉદારતા દાખવી માફી આપવાની છે. પર્યુષણ પર્વની હાર્દ સત્વ જ આજ છે તે અનુસાર દશ દિવસ જૈન સમાજના અબાલ વૃધ્ધોએ પુર્યષણની ઉજવણી કરી ઉપવાસ તપસ્યા કરી દરેક દેરાસરોમાં મહારાજ સાહેબોના દિવ્ય પ્રવચનની વાણી વહેતી હતી. અંતિમ દિને વાપી અજીતનાથ દેરાસરમાં ભગવાનને સોનાની આંગી તેમજ જીઆઈડીસી દેરાસરમાં ચાંદીની આંગી કરી શ્રધ્ધેય પૂર્વક જૈન સમાજે પુર્યષણની ઉજવણી કરી હતી.