April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીમાં પર્યુષણ પર્વ અંતર્ગત જૈન સમાજ દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જૈન સમાજના લોકો જોડાયા હતા યાત્રાની શરૂઆત સેલવાસ એસ.ટી. ડેપોની બાજુમાં જૈન દેરાસરથી નીકળી હતી. જે શહેરના વિવિધ વિસ્‍તારમાં ફરી પરત જૈન દેરાસર પર આવી હતી. અહીં ઉપસ્‍થિત મહારાજશ્રીનું -પ્રવચન સાંભળ્‍યું હતું અને જેઓએ અઠ્ઠાઈના ઉપવાસ કર્યા હતા જેઓને પારણા કરાવવામાં આવ્‍યા હતા. ગત અઠવાડિયા પર્યુષણ પર્વ ચાલી રહ્યું હતું જેની પુર્ણાહુતી બાદ સેલવાસમાં શોભાયાત્રાકાઢવામાં આવી હતી. આ પર્વ દરમ્‍યાન સમાજના લોકોએ ઉપવાસ કર્યા હતા અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જૈન સમાજના અતિ મહત્‍વપૂર્ણ પર્વ પર્યુષણના અંતિમ દિવસે સમાજના લોકોએ એકબીજાને મિચ્‍છામી દુક્કડમ બોલી એકબીજાની ક્ષમા માંગી હતી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વરિષ્ઠ લોકો પણ જોડાયા હતા.

Related posts

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

શાળા પ્રવેશોત્‍સવ અને ઉત્‍કૃષ્‍ટ શૈક્ષણિક પર્યાવરણની અસરથી સંઘપ્રદેશમાં હવે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળી રહેલા વિદ્યાર્થીઓઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

Leave a Comment