March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના દિશા-દોરવણી હેઠળ અને પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સિંપલ કાટેલાના માર્ગદર્શનમાં ભાજપ કાર્યકર્તાઓ માટે પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું લાઈવ પ્રસારણ સાંભળવા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
આ અવસરે શરૂઆતમાં ભાજપ મહિલા મોરચાના પૂર્વ જિલ્લાધ્‍યક્ષ સ્‍વ.સુનંદા કચુવેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને એમના સંગઠન પ્રત્‍યે નિષ્ઠાથી કરવામાં આવેલ કાર્યોને યાદ કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ પ્રદેશ ભાજપના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ને ટી.વી. ઉપર લાઈવ સાંભળવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, દાનહ જિલ્લાપંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, પૂર્વ જિ.પં. પ્રમુખ શ્રીમતી નિશા ભવર, જિલ્લા ભાજપ મહિલા ઉપાધ્‍યક્ષ ડો. પ્રમિલા ઉપાધ્‍યાય સહિત મહિલા મોરચાની પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah

Leave a Comment