Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.25: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લામાં સાર્વજનિક તથા ઘરે ઘરે ગણપતિ બાપ્‍પાની સ્‍થાપના કરવામાં આવી હતી. લોકો માનતા પ્રમાણે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ તથા સાત દિવસના ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. આજે દીવ જિલ્લાના સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન વાજતે ગાજતે અને ધામધૂમથી કરવામાં આવ્‍યું હતું. વિસર્જન દરમિયાન ગણપતિ બાપ્‍પા મોરિયા તથા અગલે બરસ તુ જલ્‍દી આના થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું. વિસર્જન પહેલાગણપતિ બાપ્‍પાની આરતી તથા પૂજા અર્ચના કરી, અને દરિયામાં વિસર્જન કર્યું લોકોની આંખ નમ જોવા મળી હતી. દરિયા કિનારે જેટી પર દીવ પ્રશાસન દ્વારા ફાયર બ્રિગેડના જવાનો તથા સ્‍થાનિક માછીમારો સ્‍વયં સેવક તરીકે ઉપસ્‍થિત રહી લોકોને વિસર્જન માટે મદદરૂપ બન્‍યા હતા.

Related posts

વાપી જીઆઈડીસીમાં કારમાં ઘાતક હથિયાર લઈને આવેલા પાંચ શખ્‍સોએ યુવાન ઉપર હુમલો કર્યો

vartmanpravah

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત : જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્‍કોલરશીપ મળે એવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણી માટે ‘ઓલ્‍ડ ઈઝ ગોલ્‍ડ’ ભાજપની ટિકિટ માટે ગોપાલદાદા પ્રબળ દાવેદાર

vartmanpravah

Leave a Comment