July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

દમણવાડા ગ્રા.પં.ના કુપોષણ મુક્‍ત અભિયાનના પ્રભારી અધિકારી તરીકે નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે પૌષ્‍ટિક કિટનું પણ કુપોષિત બાળકોના ઘરે જઈ કરેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને કુપોષણની સમસ્‍યામાંથી મુક્‍ત કરવા આપેલા દિશા-નિર્દેશ અંતર્ગત આજેપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના કુપોષિત બાળકોના ઘરે જઈ પૌષ્‍ટિક ખાદ્ય પદાર્થોની કિટ આપવાની સાથે પરિવારજનોને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીઓની પણ મુલાકાત લીધી હતી અને ત્‍યાં બેસી બાળકો સાથે ગપસપ પણ કરી હતી અને તેમની રખાતી દેખરેખની પણ જાણકારી મેળવી હતી.
સંઘપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના પરિવારોને સમયસર કિટમાં આપેલ અનાજનું ભોજન આપવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી પણ સાથે રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, દમણવાડા ગ્રામ પંચાયતના કુપોષિત મુક્‍ત અભિયાનના શ્રી ગૌરવ સિંહ રાજાવત પ્રભારી અધિકારી પણ છે.

Related posts

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

પદ, પ્રતિષ્ઠા, પાવર કે પૈસા સિવાય પણ મનુષ્યની અંદર વસતા ભગવાનના કારણે જ માનવનું ગૌરવ છે, તેજ ખરૂં મનુષ્ય ગૌરવ છેઃ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

Leave a Comment