March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

દાદરા નગર હવેલીના વર્તમાન પ્રવાહના બ્‍યુરો ચીફ તરીકેની જવાબદારી વિરલસિંહ રાજપૂત સંભાળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત સમસ્‍ત વલસાડ અને નવસારી જિલ્લાનું પ્રતિબિંબ બનેલ ‘વર્તમાન પ્રવાહ’ આવતીકાલે પોતાના સેલવાસ કાર્યાલયનો આરંભ કરવા જઈ રહ્યું છે. આવતીકાલે સાંજે 4 વાગ્‍યે સેલવાસના ગોગ બિલ્‍ડીંગમાં બી.એ.પી.એસ.ના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીની પધરામણીથી ‘વર્તમાન પ્રવાહ’ કાર્યાલયના આરંભના શ્રીગણેશ થશે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 20 વર્ષથી પ્રસિદ્ધ થતું અને સમસ્‍ત દાદરા નગર હવેલીમાં બહોળો ફેલાવો અને વાંચક વર્ગ ધરાવતા ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ થઈ રહ્યો છે. દાદરા નગર હવેલીના બ્‍યુરો ચીફ તરીકેની જવાબદારી શ્રી વિરલસિંહ રાજપૂતને ‘વર્તમાન પ્રવાહ’ના મેનેજમેન્‍ટ દ્વારા સોંપવામાં આવી છે.
શ્રી વિરલસિંહ રાજપૂત અનેક સેવા સંગઠનો સાથે સંકળાયેલા હોવાની સાથે તેમનામાં એક પત્રકાર તરીકેની આગવી સૂઝ અને બૂઝ પણ છે. તેઓ પોતાની જવાબદારી ખૂબ જ નિર્ભિક અને તટસ્‍થપૂર્ણ રીતે નિભાવી ‘વર્તમાન પ્રવાહ’ની પરંપરામાંચાર ચાંદ લગાવશે એવી આશા પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના 39 ગામ સાથે અતુલ ફાઉન્‍ડેશને કર્યા એમઓયુ

vartmanpravah

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

ચીખલી કાવેરી સુગરમાં ત્રણ જેટલા નવા ડિરેક્‍ટરોની નિયુક્‍તિ

vartmanpravah

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment