December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

દાદરા નગર હવેલીના વર્તમાન પ્રવાહના બ્‍યુરો ચીફ તરીકેની જવાબદારી વિરલસિંહ રાજપૂત સંભાળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત સમસ્‍ત વલસાડ અને નવસારી જિલ્લાનું પ્રતિબિંબ બનેલ ‘વર્તમાન પ્રવાહ’ આવતીકાલે પોતાના સેલવાસ કાર્યાલયનો આરંભ કરવા જઈ રહ્યું છે. આવતીકાલે સાંજે 4 વાગ્‍યે સેલવાસના ગોગ બિલ્‍ડીંગમાં બી.એ.પી.એસ.ના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીની પધરામણીથી ‘વર્તમાન પ્રવાહ’ કાર્યાલયના આરંભના શ્રીગણેશ થશે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 20 વર્ષથી પ્રસિદ્ધ થતું અને સમસ્‍ત દાદરા નગર હવેલીમાં બહોળો ફેલાવો અને વાંચક વર્ગ ધરાવતા ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ થઈ રહ્યો છે. દાદરા નગર હવેલીના બ્‍યુરો ચીફ તરીકેની જવાબદારી શ્રી વિરલસિંહ રાજપૂતને ‘વર્તમાન પ્રવાહ’ના મેનેજમેન્‍ટ દ્વારા સોંપવામાં આવી છે.
શ્રી વિરલસિંહ રાજપૂત અનેક સેવા સંગઠનો સાથે સંકળાયેલા હોવાની સાથે તેમનામાં એક પત્રકાર તરીકેની આગવી સૂઝ અને બૂઝ પણ છે. તેઓ પોતાની જવાબદારી ખૂબ જ નિર્ભિક અને તટસ્‍થપૂર્ણ રીતે નિભાવી ‘વર્તમાન પ્રવાહ’ની પરંપરામાંચાર ચાંદ લગાવશે એવી આશા પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણમાં ચોરીનો આરોપ લગાવી કિશોરને થાંભલા સાથે બાંધી ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે ત્રણની અટક કરી

vartmanpravah

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત ખાતે ‘‘નન્‍હે હાથ કલમ કે સાથ” અંતર્ગત શાળાઓમાં અભ્‍યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment