Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

દાદરા નગર હવેલીના વર્તમાન પ્રવાહના બ્‍યુરો ચીફ તરીકેની જવાબદારી વિરલસિંહ રાજપૂત સંભાળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત સમસ્‍ત વલસાડ અને નવસારી જિલ્લાનું પ્રતિબિંબ બનેલ ‘વર્તમાન પ્રવાહ’ આવતીકાલે પોતાના સેલવાસ કાર્યાલયનો આરંભ કરવા જઈ રહ્યું છે. આવતીકાલે સાંજે 4 વાગ્‍યે સેલવાસના ગોગ બિલ્‍ડીંગમાં બી.એ.પી.એસ.ના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીની પધરામણીથી ‘વર્તમાન પ્રવાહ’ કાર્યાલયના આરંભના શ્રીગણેશ થશે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 20 વર્ષથી પ્રસિદ્ધ થતું અને સમસ્‍ત દાદરા નગર હવેલીમાં બહોળો ફેલાવો અને વાંચક વર્ગ ધરાવતા ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ થઈ રહ્યો છે. દાદરા નગર હવેલીના બ્‍યુરો ચીફ તરીકેની જવાબદારી શ્રી વિરલસિંહ રાજપૂતને ‘વર્તમાન પ્રવાહ’ના મેનેજમેન્‍ટ દ્વારા સોંપવામાં આવી છે.
શ્રી વિરલસિંહ રાજપૂત અનેક સેવા સંગઠનો સાથે સંકળાયેલા હોવાની સાથે તેમનામાં એક પત્રકાર તરીકેની આગવી સૂઝ અને બૂઝ પણ છે. તેઓ પોતાની જવાબદારી ખૂબ જ નિર્ભિક અને તટસ્‍થપૂર્ણ રીતે નિભાવી ‘વર્તમાન પ્રવાહ’ની પરંપરામાંચાર ચાંદ લગાવશે એવી આશા પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

વાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્‍હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધું

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

75 માં સ્‍વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્‍ડનટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સ સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment