July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

સમાજની દિકરા-દિકરીઓ અભ્‍યાસમાં આગળ વધે તે માટે
ભાનુશાલી ઓવરસીઝ સંસ્‍થા કાર્યરત છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: શ્રી કચ્‍છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્‍ટ, સંતશ્રી ઓધવરામ એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન તથા દક્ષિણ ગુજરાતના વિવિધ 13 ભાનુશાલી મંડળોના નેજા હેઠળ વાપીમાં સમાજનું મહાસંમેલન યોજાયું હતું.


વી.આઈ.એ.ઓડિટોરિયમમાં યોજાયેલ ભાનુશાલી સંમેલન સમાજના દિકરા-દિકરી અભ્‍યાસમાં આઘળ વધે તે માટે વાલીઓને જરૂરી મદદ કરવાના ઉદ્દેશથી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંમેલનમાં જાણીતા લેખક મોટીવેશન સ્‍પીકર કાજલ ઓઝા, પેરેન્‍ટીંગ કોચ રાઈટર ડો.રાજેશ મણીયાર વગેરે મહાનુભાવોએ સમાજના ઉત્‍કર્ષ માટે માર્ગદર્શન આપ્‍યું હતું. ઓધવરામ એજ્‍યુકેશન ફાઉન્‍ડેશનના ચેરમેન લક્ષ્િમકાંત કલ્‍યાણજી ભાનુશાલીએ આ પ્રસંગે ઉચ્‍ચ શિક્ષણ ઉપર ભાર મુકી સમાજના યુાવનો આઈ.પી.એસ., આઈ.એ.એશ.ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં ભાગ લે તેવું જણાવ્‍યું હતું. સમાજ દ્વારા ભાનુશાલી ઓવરસીઝ સ્‍પોર્ટ (ઓ.બી.એસ.) નામની વિશેષ સંસ્‍થા કાર્યરત છે. આ સંસ્‍થા સમાજમાં વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓને સપોર્ટ કરી રહી છે. સંમેલનમાં ઓધવરામ એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન દક્ષિણ ગુજરાતના પ્રમુખ ગીરીશ જયરામ માવ જણાવ્‍યું હતું કે, આજે ભરૂચથી વાપી સુધીના 800 ઉપરાંત વાલીઓ ઉપસ્‍થિત રહ્યા છે તે આપણી સફળતા કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ તથા નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

vartmanpravah

દમણઃ દુણેઠા ખાતે અઢી વર્ષ પહેલા પત્‍નીની હત્‍યા કરવાની કોશિષમાં પતિને પાંચ વર્ષની જેલ અને રૂા.25 હજારનો દંડ

vartmanpravah

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નવસારીના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘‘પરિક્ષા સાથી” ટીમની જાહેરાત

vartmanpravah

નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં સ્માશાન ભૂમિના નવનિર્માણ માટે થયેલું મનોમંથન

vartmanpravah

Leave a Comment