July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના કરાયા ગામમાં ખેડૂત સેવા કેન્દ્રનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ

ખેડૂતોને ઉત્પાદનની સારી કિંમત, સારી ગુણવત્તાના બિયારણ,
તકનીકી સહાય, તાલીમ અને કૃષિ વિસ્તરણ સહાય મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.29: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરાયા ગામ ખાતે વાપી કળષિ વિકાસ ખેડૂત ઉત્‍પાદક કંપની લિ.ના ખેડૂત સેવા કેન્‍દ્રનો કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે પ્રારંભ કરાયો છે.
ખેડૂત સેવા કેન્‍દ્રની રચના કેન્‍દ્ર સરકારની યોજનાઓના સમર્થન હેઠળ કરવામાં આવી છે. જે ખાસ કરીને 10 હજાર ખેડૂત ઉત્‍પાદક સંગઠનને સમર્પિત છે અને 3 વર્ષની મુદત માટે સરકારની સહાયતા સાથે દેશમાં રચવામાં આવશે. એક અમલીકરણ એજન્‍સી તરીકે કાર્યરત કળષિ વિકાસ ગ્રામીણ શિક્ષણ સંસ્‍થા આ પ્રોજેક્‍ટ હેઠળ ઉત્‍પાદન માર્કેટિંગ, ક્ષેત્રીય સ્‍તરે કળષિ વિસ્‍તરણ અને ખેડૂતોની તાલીમ માટે જરૂરી સહાય પૂરી પાડે છે.
આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાખેતીવાડી અધિકારી અરૂણ ગરાસિયા, નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક ગૌરવ કુમાર, અને કળષિ વિકાસ પ્રોજેક્‍ટ સંયોજક રોહિત ધોળી હાજર રહી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી. વધુમાં વધુ ખેડૂતોને કંપનીનો ભાગ બનવા અને યોજનાઓનો લાભ લેવા જણાવ્‍યું હતું. શેરહોલ્‍ડર તરીકે આ કંપનીનો ભાગ બની ખેડૂતોને ઉત્‍પાદનની સારી કિંમત, સારી ગુણવત્તાના બિયારણ, તકનીકી સહાય, તાલીમ અને કળષિ વિસ્‍તરણ સહાય મળશે. લાંબા ગાળે મૂલ્‍યવર્ધન અને પ્રક્રિયા માટે વિવિધ યોજનાઓનો લાભ પણ લઈ શકશે.

Related posts

વલસાડ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત ટાઉનહોલ અને સચદેવ બાલ ઉદ્યાન ગાર્ડનમાં હાલમાં ડીમોલીશનનુ કાર્ય ચાલી રહ્યુ છે.પ્રશાસન દ્વારા ટાઉન હોલની જગ્‍યામાં પણ ગાર્ડનને ડેવલોપ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના નાના બાળકો માટેના રમતના સાધનો, સિનિયર સીટીઝનો માટે બેઠકની વ્‍યવસ્‍થા સાથે પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તેવા પ્રોજેક્‍ટ બનાવવામાં આવશે.

vartmanpravah

શીરડી ગયેલા 33 મુસાફરો રસ્‍તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

Leave a Comment