December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને રામજી મંદિર પરિવાર દ્વારા પિતૃકૃપાર્થે આગામી 02 ઓક્‍ટોબરના સોમવારથી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી રામજી રામેશ્વર મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિર ગ્રાઉન્‍ડ આમળી- સેલવાસ ખાતે કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે શ્રી દિલીપભાઈ પંડયા(ભૂતપૂર્વ વિદ્યાર્થી સાંદિપની નિકેતન) જેઓ તેમની મધુર વાણીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે.
પ્રારંભમાં તા. 02 ઓક્‍ટોબરે બપોરે શ્રી હેમંતભાઈ પટેલના ઘરેથી ભવ્‍ય પોથીયાત્રા કાઢવામાં આવશે. આ પ્રસંગે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તા.08 ઓક્‍ટોબરના રવિવારે કથા-યજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવશે.
આ ભાગવત કથાનો લાભ લેવા ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને શ્રી રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા ભાવિક ભક્‍તોને લાભ લેવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

ઈડલીના ખીરા જેવું કારકિર્દીનું ઘડતર કરવા મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલની વિદ્યાર્થીઓને સલાહ

vartmanpravah

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah

68મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ (અંડર 17) ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટ-2024-25 યજમાન કેન્‍દ્ર શાસિત પ્રદેશની છોકરાઓની ટીમે ગ્રુપ સ્‍ટેજની ત્રણેય મેચોમાં ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રથમ વખત ક્‍વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

vartmanpravah

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

vartmanpravah

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીના અધિકારીઓની સામે આવેલી ઈરાદાપૂર્વકની નજર અંદાજ કરવાની નીતિ

vartmanpravah

Leave a Comment