October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને રામજી મંદિર પરિવાર દ્વારા પિતૃકૃપાર્થે આગામી 02 ઓક્‍ટોબરના સોમવારથી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી રામજી રામેશ્વર મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિર ગ્રાઉન્‍ડ આમળી- સેલવાસ ખાતે કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે શ્રી દિલીપભાઈ પંડયા(ભૂતપૂર્વ વિદ્યાર્થી સાંદિપની નિકેતન) જેઓ તેમની મધુર વાણીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે.
પ્રારંભમાં તા. 02 ઓક્‍ટોબરે બપોરે શ્રી હેમંતભાઈ પટેલના ઘરેથી ભવ્‍ય પોથીયાત્રા કાઢવામાં આવશે. આ પ્રસંગે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તા.08 ઓક્‍ટોબરના રવિવારે કથા-યજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવશે.
આ ભાગવત કથાનો લાભ લેવા ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને શ્રી રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા ભાવિક ભક્‍તોને લાભ લેવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડ પારનેરા પારડીમાં પરિવાર મામેરા વિધિમાં વ્‍યસ્‍ત હતો ત્‍યારે ચોર ઈસમ બંગલામાં ઘૂસી 40 તોલા સોનુ અને રોકડ ચોરી ગયો

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા યુ.ટી. સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ-2022નું આયોજન કરાશે

vartmanpravah

સોળસુંબાની આંગણવાડી અસલામતઃ પંચાયત તેમજ જવાબદાર વિભાગની લાપરવાહીનું પરિણામ

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા રામદાસ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment