July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીની એક કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા તેઓ સામે દાનહ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાનહ વન વિભાગના અધિકારીને મળેલ જાણકારી અનુસાર કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ચાર વ્‍યક્‍તિઓ (1)ધર્મેન્‍દ્રકુમાર યાદવ, (2)રમેશ પ્રજાપતિ, (3)સોટક નવા થરુ અને (4)બિરૂ શર્મા જેઓ મસાટ ગામના રહેવાસી છે. તેઓએ અજગરને જોતા લાકડાના ફટકા મારી, મારી નાખ્‍યો હતો. અજગરને મારી નાંખવાના ગુનામાં વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ-1972ની કલમ 9 અને 51 મુજબ ચારેય વ્‍યક્‍તિઓ (1)ધર્મેન્‍દ્રકુમાર યાદવ, (2)રમેશ પ્રજાપતિ,(3)સોટક નવા થરુ અને (4)બિરૂ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધી કોર્ટમાં રજૂ કરાતા આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી આપવામાં આવી છે.
વન વિભાગના અધિકારીના જણાવ્‍યા અનુસાર સરીસૃપોને મારી નાંખવું એ વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ મુજબ ગુનો બને છે અને અજગર એ પ્રથમ શ્રેણીમાં આવતું સરીસૃપ છે. જેથી જે કોઈને પણ કોઈપણ પ્રજાતિનો સાપ(સરીસૃપ પ્રાણી) જોવા મળે તો તાત્‍કાલિક વન વિભાગનો સંપર્ક કરવો જેથી સરિસૃપને બચાવી શકાય.

Related posts

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોર-કિશોરીઓનું 100 ટકા થયેલું કોવિડ વેક્‍સિનેશન

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah

મોટી દમણ શાકભાજી માર્કેટમાં ભરાયેલા ઘૂંટણસમાણા પાણીઃ વિક્રેતાઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

Leave a Comment