Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીની એક કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા તેઓ સામે દાનહ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાનહ વન વિભાગના અધિકારીને મળેલ જાણકારી અનુસાર કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ચાર વ્‍યક્‍તિઓ (1)ધર્મેન્‍દ્રકુમાર યાદવ, (2)રમેશ પ્રજાપતિ, (3)સોટક નવા થરુ અને (4)બિરૂ શર્મા જેઓ મસાટ ગામના રહેવાસી છે. તેઓએ અજગરને જોતા લાકડાના ફટકા મારી, મારી નાખ્‍યો હતો. અજગરને મારી નાંખવાના ગુનામાં વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ-1972ની કલમ 9 અને 51 મુજબ ચારેય વ્‍યક્‍તિઓ (1)ધર્મેન્‍દ્રકુમાર યાદવ, (2)રમેશ પ્રજાપતિ,(3)સોટક નવા થરુ અને (4)બિરૂ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધી કોર્ટમાં રજૂ કરાતા આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી આપવામાં આવી છે.
વન વિભાગના અધિકારીના જણાવ્‍યા અનુસાર સરીસૃપોને મારી નાંખવું એ વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ મુજબ ગુનો બને છે અને અજગર એ પ્રથમ શ્રેણીમાં આવતું સરીસૃપ છે. જેથી જે કોઈને પણ કોઈપણ પ્રજાતિનો સાપ(સરીસૃપ પ્રાણી) જોવા મળે તો તાત્‍કાલિક વન વિભાગનો સંપર્ક કરવો જેથી સરિસૃપને બચાવી શકાય.

Related posts

વાપી પ્રમુખ ગ્રીન સીટી ચલા છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્‍સવનું થતું આયોજન

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર મનનીય ચર્ચા-વિચારણાં

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

પ્રશાસનની ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

vartmanpravah

અવસર છે લોકશાહીનો-ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨: ગુજરાતના અધિકારીઓને નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ

vartmanpravah

વાપી નાનીતંબાડીના મહિલા સરપંચ લાંચ પ્રકરણમાં સસ્‍પેન્‍ડ કરાયા : એસીબી 5 હજારની લાંચ લેતા ઝડપ્‍યા હતા

vartmanpravah

Leave a Comment