(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર પરિવાર દ્વારા પિતૃકૃપાર્થે આગામી 02 ઓક્ટોબરના સોમવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી રામજી રામેશ્વર મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિર ગ્રાઉન્ડ આમળી- સેલવાસ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી દિલીપભાઈ પંડયા(ભૂતપૂર્વ વિદ્યાર્થી સાંદિપની નિકેતન) જેઓ તેમની મધુર વાણીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે.
પ્રારંભમાં તા. 02 ઓક્ટોબરે બપોરે શ્રી હેમંતભાઈ પટેલના ઘરેથી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવશે. આ પ્રસંગે શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તા.08 ઓક્ટોબરના રવિવારે કથા-યજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવશે.
આ ભાગવત કથાનો લાભ લેવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને લાભ લેવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.