April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને રામજી મંદિર પરિવાર દ્વારા પિતૃકૃપાર્થે આગામી 02 ઓક્‍ટોબરના સોમવારથી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી રામજી રામેશ્વર મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિર ગ્રાઉન્‍ડ આમળી- સેલવાસ ખાતે કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે શ્રી દિલીપભાઈ પંડયા(ભૂતપૂર્વ વિદ્યાર્થી સાંદિપની નિકેતન) જેઓ તેમની મધુર વાણીમાં શ્રીમદ્‌ ભાગવત કથાનું રસપાન કરાવશે.
પ્રારંભમાં તા. 02 ઓક્‍ટોબરે બપોરે શ્રી હેમંતભાઈ પટેલના ઘરેથી ભવ્‍ય પોથીયાત્રા કાઢવામાં આવશે. આ પ્રસંગે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તા.08 ઓક્‍ટોબરના રવિવારે કથા-યજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવશે.
આ ભાગવત કથાનો લાભ લેવા ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અને શ્રી રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા ભાવિક ભક્‍તોને લાભ લેવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

પિપરિયા પર હુમલો, પ્રદેશમુક્‍ત કર્યો તેને સ્‍વદેશી લોકો અને કેન્‍દ્ર સરકારના હાથમાં સોંપીને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો અને પહેરેલ કપડે જ સિલવાસામાંથી બહાર નીકળ્‍યા

vartmanpravah

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

vartmanpravah

સ્‍વાગત સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં ગ્રામ સ્‍વાગત કાર્યક્રમોમાં વલસાડ જિલ્લામાંથી 608 અરજી મળી

vartmanpravah

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને યુ.પી.એલ.ના સંયુક્‍ત ઉપક્રમે બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment