April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા ભારતના નવા નિમાયેલા પ્રથમ આદિવાસી મહિલા રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની કરેલા સંબોધનને લઈ સમગ્ર દેશમાં આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી હોય કોંગ્રેસ વિરુદ્ધ સમગ્ર દેશમાં આદિવાસી અને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો આપી વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યો છે.
ગઈકાલે કોંગ્રેસ નેતા અધીર રંજનના પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્‍યા બાદ ફરી એકવાર આજરોજ તેઓએ રાષ્‍ટ્રપતિનું નહિ પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું હોવાનું જણાવી તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે અને કોંગ્રેસ પાર્ટીના અધ્‍યક્ષ સોનિયા ગાંધી જાહેરમાં માફી માગવાની માંગણી સાથે રાજ્‍યપાલશ્રીને સંબોધીને એક આવેદન લખી પારડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
આજના આ કાર્યક્રમમાંપારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિતલબેન પટેલ, પારડી નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ – ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, શાસક પક્ષના નેતા દેવેનભાઈ શાહ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

પારડીમાં રૂા. 175.16 લાખના ખર્ચે નિર્માણ થયેલી લાઈબ્રેરી તથા આંગણવાડીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

મારી માટી-મારો દેશ અભિયાનઃ વલસાડમાં નવી પહેલ, ધરાસણાના સખી મંડળને દીવા અને કળશ થકી આજીવિકા મળી

vartmanpravah

વાપી ન.પા.ના શાસકપક્ષના નેતા નિલેશભાઈ રાઠોડ દ્વારા સંચાલિત આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓની માનસિક સ્‍ફૂર્તિ અને અવેરનેસ માટે યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment