Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: આખો દેશ જ્‍યારે રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેની સામે દાદરાનગર હવેલીના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા બાપુને ભુલાયા છે. સેલવાસમાં જૂના ટાઉન હોલ કે જેને તોડી પડાયો હતો એની બાજુમાં સચદેવ બાલ ઉદ્યાન આવેલું હતું. બાલ ઉદ્યાન અને ટાઉન હોલને તોડી પાડવામાં આવેલ અને ત્‍યા સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ બનાવવામાં આવનાર છે. આ ઉદ્યાનમાં આઝાદીની ચળવળમાં મહત્‍વનો ભાગ ભજવનાર મહાત્‍મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. બાલ ઉદ્યાનને હાલમા બંધ કરી દેવામાં આવ્‍યો છે પરંતુ, ગાંધીજીની આ પ્રતિમા ત્‍યાં ધૂળ ખાઈ રહી છે. આજુબાજુ જંગલી કચરો ઊગી નીકળ્‍યો છે. દેશની આઝાદી માટે મહત્‍વનો ફાળો આપનાર ગાંધીજી જેવા વૈશ્વિક આગેવાનને પ્રશાસન નજર અંદાજ કરી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ગાંધી જયંતિના દિવસે જ ગાંધીજી યાદ કરી વિવિધ કાર્યક્રમો કરે છે પરંતુ અહીં જે મૂર્તિ રાખવામાં આવેલ છે એની આજુબાજુ સ્‍વચ્‍છતા રાખવામાં આવતી નથી. માહાત્‍મા ગાંધીજીને સ્‍વચ્‍છતા ગમતી, પ્રધાનમંત્રી દ્વારા પણ સ્‍વચ્‍છતા અભિયાન વખતે ગાંધીજીને યાદ કરવામાં આવે છે એવામાં એમની પ્રતિમાની આજુબાજુ જંગલી છોડ ઊગી નીકળેલા છે, તેમજ ધૂળ ખાઈ રહી છે એ ચોક્કસ પણે એમનું અપમાન કહી શકાય. પ્રશાસન ગાંધીજીની પ્રતિમાને માન જાળવે અથવા તો માનભેર એની જગ્‍યા બદલવામાં આવે જેથી ગાંધીજીનું માન જળવાઈ રહે. અને હાલના અધિકારી,પ્રતિનિધિઓ દ્વારા બાપુની મૂર્તિને યોગ્‍ય સ્‍થાન આપવામાં આવે એ જરૂરી છે.

Related posts

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્‍યકક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઈ, 160 સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકાનાં ગામોમાં વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો સાથે ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે લવકર યા’ ના નાદ સાથે ભવ્ય વિસર્જન યાત્રા યોજી બાપ્પાને વિદાય અપાઈ

vartmanpravah

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah

સમાજ માટે હમ સાથ સાથ હૈઃ બિરસા મુંડા જન્‍મ જયંતિની કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે ઉજવણી કરતા આદિવાસીઓમાં જોવા મળેલો ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment