Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીમાં સાંજે અજાણયા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા ઝંપલાવ્‍યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી અજાણ્‍યા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા નદીમાં ઝંપલાવી દીધું હતું જેને એક કલાકની ભારે જહેમત બાદ ફાયરફાઈટર વિભાગની ટીમે યુવાનની લાશને શોધી કાઢી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દમણગંગા નદીના પુલ પર પગદંડી રસ્‍તા પર નરોલી તરફથીએક યુવાન એના મોબાઈલ પર વાત કરતો કરતો ચાલી રહ્યો હતો એણે અચાનક નદીમાં ઝંપલાવી દીધું હતું. જે યુવાનને ત્‍યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસે જોયો હતો અને તાત્‍કાલિક ફાયરફાઈટર વિભાગને ફોન કરતા પોલીસ અને ફાયરફાઈટરની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી અને સેફટી બોટ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ યુવાનની લાશ બ્રિજના નીચેના ભાગેથી મળી આવી હતી.
આ યુવાનની ઉંમર અંદાજીત 22 વર્ષની હોવાનું જાણવા મળ્‍યું છે. આ યુવાન ક્‍યાં રહે છે અને ક્‍યાંથી આવી કયા કારણોસર નદીમાં ઝંપલાવી આત્‍મહત્‍યા કરી એ અંગેની જાણકારી મળવા પામેલ નથી. હાલમાં યુવાનની લાશનો પોલીસે કબ્‍જો લઈ સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ ખાતે કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અઠવાડીયામાં આ બીજા યુવાને નદીમાં ઝંપલાવી આત્‍મહત્‍યા કરી છે. આ દમણગંગા નદીનો પુલ સુસાઇડ પોઇન્‍ટ બની ગયો છે. પ્રદેશની વિવિધ સંસ્‍થાઓ દ્વારા આ પૂલની બન્ને સાઈડ પર જાળી લગાવવા માટે વારંવાર પ્રશાસનને રજૂઆતો કરવા છતાં પણ પ્રશાસન દ્વારા દુર્લક્ષ સેવી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્‍યુસાઈટ પોઈન્‍ટ બનેલા આ દમણગંગા નદીના પુલ પરથી ઘણા યુવાનો આત્‍મહત્‍યા કરી રહ્યા છે જેનેઅટકાવવા માટે પ્રશાસન નિંદ્રામાંથી જાગે અને હવે તો જાળી લગાવવામાં આવે એવી લોકોની બુલંદ માંગ ઉઠી રહી છે.

Related posts

વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી

vartmanpravah

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની સહાય યોજનાઓના લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ ઉપર ૩૧ મે સુધી અરજી કરી શકાશે

vartmanpravah

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

Leave a Comment