July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીમાં સાંજે અજાણયા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા ઝંપલાવ્‍યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી અજાણ્‍યા યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા નદીમાં ઝંપલાવી દીધું હતું જેને એક કલાકની ભારે જહેમત બાદ ફાયરફાઈટર વિભાગની ટીમે યુવાનની લાશને શોધી કાઢી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દમણગંગા નદીના પુલ પર પગદંડી રસ્‍તા પર નરોલી તરફથીએક યુવાન એના મોબાઈલ પર વાત કરતો કરતો ચાલી રહ્યો હતો એણે અચાનક નદીમાં ઝંપલાવી દીધું હતું. જે યુવાનને ત્‍યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસે જોયો હતો અને તાત્‍કાલિક ફાયરફાઈટર વિભાગને ફોન કરતા પોલીસ અને ફાયરફાઈટરની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી અને સેફટી બોટ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ યુવાનની લાશ બ્રિજના નીચેના ભાગેથી મળી આવી હતી.
આ યુવાનની ઉંમર અંદાજીત 22 વર્ષની હોવાનું જાણવા મળ્‍યું છે. આ યુવાન ક્‍યાં રહે છે અને ક્‍યાંથી આવી કયા કારણોસર નદીમાં ઝંપલાવી આત્‍મહત્‍યા કરી એ અંગેની જાણકારી મળવા પામેલ નથી. હાલમાં યુવાનની લાશનો પોલીસે કબ્‍જો લઈ સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ ખાતે કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અઠવાડીયામાં આ બીજા યુવાને નદીમાં ઝંપલાવી આત્‍મહત્‍યા કરી છે. આ દમણગંગા નદીનો પુલ સુસાઇડ પોઇન્‍ટ બની ગયો છે. પ્રદેશની વિવિધ સંસ્‍થાઓ દ્વારા આ પૂલની બન્ને સાઈડ પર જાળી લગાવવા માટે વારંવાર પ્રશાસનને રજૂઆતો કરવા છતાં પણ પ્રશાસન દ્વારા દુર્લક્ષ સેવી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્‍યુસાઈટ પોઈન્‍ટ બનેલા આ દમણગંગા નદીના પુલ પરથી ઘણા યુવાનો આત્‍મહત્‍યા કરી રહ્યા છે જેનેઅટકાવવા માટે પ્રશાસન નિંદ્રામાંથી જાગે અને હવે તો જાળી લગાવવામાં આવે એવી લોકોની બુલંદ માંગ ઉઠી રહી છે.

Related posts

ત્રણ રાજ્‍યની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થતા ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

vartmanpravah

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજને ‘‘શ્રેષ્ઠ એન.એસ.એસ. કૉલેજ” પુરસ્‍કાર એનાયત થયો

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપના પદાધિકારીઓને મિશન-2024ની સફળતાનો આપેલો મંત્ર

vartmanpravah

દેવઉઠી એકાદશી નિમિત્તે સેલવાસના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હાટડી દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah

દાનહ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શનમાં ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment