July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

ગાંધી જયંતી દિનની ઉજવણી નિમિત્તે સમગ્ર તાલુકો સ્‍વચ્‍છતા અભિયાનની કામગીરીમાં જોતરાયેલો છે જ્‍યારે બીજી તરફ જીપીસીપી અધિકારીઓની સાવરવાની નીતિને પરિણામે પ્રદૂષણ માફિયાઓએ રાત્રી દરમિયાન એકલારાના આંતરિક માર્ગ ઉપર ઘન કચરો ઠાલવ્‍યો હોવાની સામે આવેલી ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના એકલારા ખાતે ગત રાત્રિના દરમિયાન આંતરિક માર્ગ ઉપર કોઈ કંપનીના ઘન કચરાનો નિકાલ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ ઘટનાની જાણકારી યુવા શક્‍તિ સંગઠનના પ્રમુખ શ્રી મિતેશભાઈ પટેલને કરવામાં આવતા એમણે જીપીસીપી ગાંધીનગર તેમજ સભ્‍ય સચિવ શ્રી અને જિલ્લા કલેકટરને લેખિત ધ્‍યાન દોરી દોષિતો સામે પગલાં ભરવાની માગણી કરી છે. આ ઘટનામાં જીપીસીપી સરીગામ કચેરીના અધિકારીઓને જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
બે દિવસ પહેલા અંકલાશ અને ઝરોલીપંચાયત હદમાંથી પસાર થતી રોષના ખાડીમાં માછલીઓ મરી જવાની ઘટના સામે આવી હતી. આમ પ્રદૂષણ ફેલાવવાની ઘટનાઓ હવે લગાતાર સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા માંડાના માજી સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા એક કંપની સામે ધ્‍વનિ પ્રદૂષણની જીપીસીપીને ફરિયાદ કરી હતી. પરંતુ આ ફરિયાદ સામે ફરિયાદી માજી સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા ફરિયાદની થોડી ક્ષણમાં કંપનીના સંચાલકનો ફોન આવ્‍યો હતો. જેના ઉપરથી સાબિત થાય છે કે જીપીસીપી પગલા ભરવા કરતા કંપનીઓને સાવરવામાં વધુ રસ છે. હવે આજરોજ એકલારા ખાતે ઘન કચરા નિકાલની બનેલી ઘટનામાં પણ કાર્યવાહી કરવામાં વિલંબ થતા જોવા મળી રહ્યો છે. જેમાં પણ અસરકારક કામગીરી કરવામાં આવશે કે કેમ એની સામે સવાલ ઉભો થઈ રહ્યો છે.

Related posts

વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : જાહેરનામું બહાર પડાયું

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે ઇલેક્‍ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્‍ડ ધ ક્‍લોક કાર્યરત

vartmanpravah

પારડી હાઇવે ઉપર મોડી રાત્રે કન્ટેનર અને બે ટેમ્પા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah

Leave a Comment