March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

આ પ્રકારની છેડછાડની ઘટનાને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલી તાલુકામાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ દરમિયાન ‘મેરી માટી, મેરા દેશ’ના 9 થી 15 ઓગસ્‍ટ દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં દરેક ગામોમાંથી માટી એકત્ર પંચ પ્રાણ લેવડાવી દેશની આઝાદીમાં યોગદાન આપનારના પરિવારજનોનું સન્‍માન કરી પથ્‍થરની તકતી લગાવવામાં આવી હતી અને જેના ઉપર દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સંદેશ, તારીખ, ગ્રામ પંચાયતનું નામ માતૃભૂમિની સ્‍વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર તમામ વીરોને શત્‌ શત્‌ નમન તેવું લખાણ લખવામાં આવ્‍યું હતું.
આ પ્રકારની તકતી થાલામાં પણ તળાવની પાળે તા.10/08/23ના રોજ લગાવવામાં આવી હતી. આ પથ્‍થરની તકતીપરથી લખાણ ગાયબ થઈ જવા પામ્‍યું છે. ત્‍યારે કોઈએ તકતી સાથે ચેડા કરી આ લખાણ કોઈ પૂર્વગ્રહ રાખીને ગાયબ કરી દેવામાં આવ્‍યું હોય તેમ લાગે છે. ત્‍યારે સરકારના આઝાદી કા અમૃત મહોત્‍સવ જેવા કાર્યક્રમ દરમિયાન લગાવવામાં આવેલ તકતી પરથી આ રીતે લખાણ ગાયબ થઈ જવાની બાબતને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ સમગ્ર મામલે તપાસ કરાવી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. માંડ બે મહિના જેટલાના ટૂંકા ગાળામાં જ પથ્‍થરની તકતી સાથે થાલામાં છેડછાડ કરવામાં આવી છે. ત્‍યારે તંત્રએ અન્‍ય ગામોમાં પણ આ તક્‍તિની સ્‍થિતિની તપાસ કરાવવી જોઈએ.

Related posts

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

વિદેશ જવા રૂપિયા માંગી અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ચીખલીના ઘેકટીના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ પરણિતાઍ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

Leave a Comment