(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.26: સંત નિરંકારી સત્સંગ મંડળ દ્વારા આજે સદ્ગુરુ માતા સુદીક્ષાજીના આશીર્વાદ અને પ્રેરણાથી, સંસ્કળતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારમાં ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ પ્રોજેક્ટની શરૂઆરત કરવામાં આવેલ છે. જેની કડીમાં રવિવારે દેશમાં એક હજાર કરતા પણ વધારે જગ્યા પર નદીઓ તથા નાળા, ગટરોની સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સંદર્ભે સેલવાસમાં દમણગંગા નદી, પીપરિયા નદી અને આજુબાજુની નદીઓ મળીને કુલ 12 જેટલા સ્થાનોએ નદીઓ તથા નળા-ગટરોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સત્સંગ મંડળના સભ્યો સહિત શહેરીજનો પણ ઉત્સાહથી જોડાયા હતા.