September 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલા સંકલ્‍પ સપ્તાહમાં આજે દમણ બ્‍લોકની તમામ 14 ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતા એક સંકલ્‍પના માધ્‍યમથી સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સ્‍વચ્‍છ ઘર, ગામ અને ગ્રામ પંચાયતના ઉદ્દેશથી ગ્રામ પંચાયતોના તમામ ચૂંટાયેલા સભ્‍યો, સરપંચો, જિ.પં. સભ્‍યો તથા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની મહિલાઓ દ્વારા ગ્રામજનોના સહયોગથી પંચાયતના મંદિર, બજાર, હાટ, પંચાયત ભવન, પંચાયત કાર્યાલય, આંગણવાડી, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ કેન્‍દ્રો, ફેર પ્રાઈસ શોપ, કોમન સર્વિસ સેન્‍ટર, અન્‍ય સંસ્‍થાગત ભવનો વગેરે ઉપર સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું.
દમણ બ્‍લોકની તમામ સરકારી અને ખાનગી સ્‍કૂલોમાં ‘સ્‍વચ્‍છ ઘર, ગામ અને ગ્રામ પંચાયત’ વિષય ઉપર ડિબેટ તથા ચિત્રકળા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
સ્‍વચ્‍છતા અભિયાન બાદ દમણ બ્‍લોકની તમામ 14 ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતાથી આરોગ્‍યની તરફ અને બહેતર આરોગ્‍ય માટે સ્‍વચ્‍છતા અપનાવવાના સંબંધ ઉપર ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામસભામાં ઉપસ્‍થિત તમામ લોકોએ સ્‍વચ્‍છતા એક સંકલ્‍પ અંતર્ગત સ્‍વચ્‍છતા શપથ લઈ સ્‍વચ્‍છ ઘર, ગામઅને ગ્રામ પંચાયતના બનાવવાના લક્ષને પુરો કરવાનો સંકલ્‍પ લીધો હતો.

Related posts

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર પારડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ

vartmanpravah

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા મોક્ષ રથનું  કરાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment