October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલા સંકલ્‍પ સપ્તાહમાં આજે દમણ બ્‍લોકની તમામ 14 ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતા એક સંકલ્‍પના માધ્‍યમથી સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સ્‍વચ્‍છ ઘર, ગામ અને ગ્રામ પંચાયતના ઉદ્દેશથી ગ્રામ પંચાયતોના તમામ ચૂંટાયેલા સભ્‍યો, સરપંચો, જિ.પં. સભ્‍યો તથા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની મહિલાઓ દ્વારા ગ્રામજનોના સહયોગથી પંચાયતના મંદિર, બજાર, હાટ, પંચાયત ભવન, પંચાયત કાર્યાલય, આંગણવાડી, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ કેન્‍દ્રો, ફેર પ્રાઈસ શોપ, કોમન સર્વિસ સેન્‍ટર, અન્‍ય સંસ્‍થાગત ભવનો વગેરે ઉપર સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું.
દમણ બ્‍લોકની તમામ સરકારી અને ખાનગી સ્‍કૂલોમાં ‘સ્‍વચ્‍છ ઘર, ગામ અને ગ્રામ પંચાયત’ વિષય ઉપર ડિબેટ તથા ચિત્રકળા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
સ્‍વચ્‍છતા અભિયાન બાદ દમણ બ્‍લોકની તમામ 14 ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતાથી આરોગ્‍યની તરફ અને બહેતર આરોગ્‍ય માટે સ્‍વચ્‍છતા અપનાવવાના સંબંધ ઉપર ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામસભામાં ઉપસ્‍થિત તમામ લોકોએ સ્‍વચ્‍છતા એક સંકલ્‍પ અંતર્ગત સ્‍વચ્‍છતા શપથ લઈ સ્‍વચ્‍છ ઘર, ગામઅને ગ્રામ પંચાયતના બનાવવાના લક્ષને પુરો કરવાનો સંકલ્‍પ લીધો હતો.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના મંદિરનો પટાંગણ પ.પૂ. ભરતભાઈ વ્‍યાસની શિવકથાથી શિવમય બન્‍યો: પ.પૂ. ભરતભાઈ વ્‍યાસે પંચાક્ષરી મંત્રી ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો સમજાવેલો મહિમા

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

દાનહના સીલી ગામના અદ્વૈતા ગુરુકુળમાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

Leave a Comment