July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની બાલાજી જેમ્‍સ સોસાયટીમાં ડ્રેનેજનું પાણી ફેલાતા સ્‍થાનિકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના રીંગરોડ પર છેલ્લા એક અઠવાડિયાથી કામ ચાલી રહેલ છે જેના કારણે બાલાજી જેમ્‍સ સોસાયટીની સિવરેજ લાઈન બંધ થઈ જવા પામી છે. જેના કારણે ડ્રેનેજનું ગંદુ પાણી આખી સોસાયટીમાં ફરી વળતાં ભારે ગંદકીનો માહોલ ઉભો થયો છે. ડ્રેનેજના ફેલાયેલા ગંદા પાણીથી સોસાયટીના તથા સ્‍થાનિક રહીશોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે યાદ રહે દાનહમાં ડેગ્‍યુનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ડેન્‍ગ્‍યુના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્‍યો છે. ત્‍યારે આ ડ્રેનેજના પાણીના કારણેસોસાયટીમાં રોગ ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે. શાળાએ જતા બાળકોને પણ વહી રહેલા ડ્રેનેજના ગંદા દુર્ગંધયુક્‍ત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સમસ્‍યા સંદર્ભે સેલવાસ નગરપાલિકા તંત્ર દ્વારા ધ્‍યાન આપવામાં આવે એવી સોસાયટીના લોકોની લાગણી અને માંગણી છે.

Related posts

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

વાપી જીઆઈડીસી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા વસાહતમાં દોડધામ મચી

vartmanpravah

આજે રક્ષાબંધન પવિત્ર પર્વે નિમિત્તે વાપીપાલિકાની ભેટ : બહેનો અને બાળકો માટે સીટી બસમાં નિઃશુલ્‍ક સફર

vartmanpravah

ઉદવાડા દરિયા કિનારેથી મળેલ શંકાસ્‍પદ પદાર્થ 6 કરોડનું ચરસ હોવાનું બહાર આવ્‍યું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment