June 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીને આપ્‍યું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્‍ટેશન સેન્‍ટરની સુવિધા છે, કપરાડા તાલુકો ખૂબ જ મોટો અંતરિયાળ વિસ્‍તાર છે. કપરાડા તાલુકાની કમનસીબ કહેવાય હજુ સુધી ફાયર સ્‍ટેશન સેન્‍ટર ઉપલબ્‍ધ કરાવવા સરકાર દ્વારા ધ્‍યાનમાંલેવામાં આવ્‍યું નથી.
તાજેતરમાં મોજે બિલિયા ગામના વ્‍યક્‍તિઓ ગામમાં આવેલ ચેકડેમમાં તણાયા હતા. કપરાડા ખાતે ફાયર સ્‍ટેશન સેન્‍ટરની સુવિધા ઉપલબ્‍ધ ન હોવાના કારણે તેઓને બચાવી શકાયેલ નથી તથા બે દિવસ જેટલા લાંબા સમયગાળા બાદ મૃતદેહો મળ્‍યા હતા. સ્‍થાનિક લોકો અને ફાયરબ્રિગેડ ધરમપુરે ભારે જહેમત ઉઠાવી નદીમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા. આવી અનેક ઘટના કપરાડા તાલુકામાં ઘણી બધી બની ચૂકેલી છે. પાર નદી, કોલક નદી, દમણગંગા નદીમાં અનેક લોકો ડૂબી જવાની આકસ્‍મિક ઘટના બની છે. આગમાં મકાનો સળગી કે તૂટી પડવાની પણ ઘટનાઓ બની છે. તેમાં ફાયર સ્‍ટેશન ન હોવાના કારણે લોકોને જાન ગુમાવવી પડી. તો કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન ઊભું થાય તેવી સમગ્ર લોકોની માંગ છે. જે અંગે ધારાસભ્‍ય કપરાડા – પૂર્વ મંત્રી ગુજરાત સરકાર જીતુભાઈ ચૌધરીને આવેદન પત્ર આપી ધ્‍યાન દોરવામાં આવ્‍યું છે.
કપરાડા જેવા અંતરિયાળ અને પહાડી વિસ્‍તારમાં માર્ગ અકસ્‍માત, પુર હોનારત તથા દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ઉપરાંત જાગૃકતાના અભાવે આ વિસ્‍તારના રહીશો આગમચેતી રાખી શકતા નથી.
નાનાપોંઢાથી સુથારપાડા સુધીનો રસ્‍તો ખાડા ટેકરાવાળો હોવાથી ચોમાસામાં અકસ્‍માતનીઘટનાઓ વારંવાર બને છે તથા લોકોને જીવ ગુમાવવો પડે છે.
વલસાડ જિલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્‍ટેશન સેન્‍ટરની સુવિધા છે, પરંતુ કપરાડામાં આ સુવિધાના અભાવે આકસ્‍મિક પરિસ્‍થિતિઓમાં નિર્દોષ લોકોને બચાવી શકાતુ નથી. તમામ હકીકતો ધ્‍યાને લેતાં, કપરાડા ખાતે ફાયર સ્‍ટેશન સેન્‍ટર ઉપલબ્‍ધ કરાવવા સતિષભાઈ ડી. કરડેલ, હિરલકુમાર એ.પટેલ, પીનેશભાઈ આર.પવાર, ભાવેશભાઈ બી. ગાંવિત, હરેશભાઈ જી.રાઉત, સંજયભાઈ આર.ખાંડરા દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
કપરાડા તાલુકાના વિસ્‍તારથી જાણકાર અને આગ અને બચાવ કાર્યની તાલીમમાં નિપૂણ એવા કપરાડા તાલુકાના કેટલાક જવાનો છે. જેઓને આ ફાયર સ્‍ટેશન થકી નોકરી મળી જશે.
જાગ્રત યુવાનો અને કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા દ્વારા કપરાડામાં ફાયર સ્‍ટેશન સેન્‍ટર ઉપલબ્‍ધ કરાવવા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, કલેક્‍ટરશ્રી વલસાડ, મુખ્‍યમંત્રીશ્રી ગાંધીનગર, ગુજરાતને આવેદનપત્ર પાઠવ્‍યું છે.

Related posts

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

નવસારીમાં 13 સપ્‍ટેમ્‍બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસની રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

vartmanpravah

વલસાડમાં ‘‘હોમગાર્ડઝ સ્‍થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

vartmanpravah

ઉમરગામમાં મરચાની ખેતીમાં જીવાત મુદ્દે બાગાયત ખાતાની ટીમે તપાસ કરી ખેડૂતોને સૂચનો કર્યા

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah

Leave a Comment