August 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીને આપ્‍યું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્‍ટેશન સેન્‍ટરની સુવિધા છે, કપરાડા તાલુકો ખૂબ જ મોટો અંતરિયાળ વિસ્‍તાર છે. કપરાડા તાલુકાની કમનસીબ કહેવાય હજુ સુધી ફાયર સ્‍ટેશન સેન્‍ટર ઉપલબ્‍ધ કરાવવા સરકાર દ્વારા ધ્‍યાનમાંલેવામાં આવ્‍યું નથી.
તાજેતરમાં મોજે બિલિયા ગામના વ્‍યક્‍તિઓ ગામમાં આવેલ ચેકડેમમાં તણાયા હતા. કપરાડા ખાતે ફાયર સ્‍ટેશન સેન્‍ટરની સુવિધા ઉપલબ્‍ધ ન હોવાના કારણે તેઓને બચાવી શકાયેલ નથી તથા બે દિવસ જેટલા લાંબા સમયગાળા બાદ મૃતદેહો મળ્‍યા હતા. સ્‍થાનિક લોકો અને ફાયરબ્રિગેડ ધરમપુરે ભારે જહેમત ઉઠાવી નદીમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા. આવી અનેક ઘટના કપરાડા તાલુકામાં ઘણી બધી બની ચૂકેલી છે. પાર નદી, કોલક નદી, દમણગંગા નદીમાં અનેક લોકો ડૂબી જવાની આકસ્‍મિક ઘટના બની છે. આગમાં મકાનો સળગી કે તૂટી પડવાની પણ ઘટનાઓ બની છે. તેમાં ફાયર સ્‍ટેશન ન હોવાના કારણે લોકોને જાન ગુમાવવી પડી. તો કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન ઊભું થાય તેવી સમગ્ર લોકોની માંગ છે. જે અંગે ધારાસભ્‍ય કપરાડા – પૂર્વ મંત્રી ગુજરાત સરકાર જીતુભાઈ ચૌધરીને આવેદન પત્ર આપી ધ્‍યાન દોરવામાં આવ્‍યું છે.
કપરાડા જેવા અંતરિયાળ અને પહાડી વિસ્‍તારમાં માર્ગ અકસ્‍માત, પુર હોનારત તથા દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ઉપરાંત જાગૃકતાના અભાવે આ વિસ્‍તારના રહીશો આગમચેતી રાખી શકતા નથી.
નાનાપોંઢાથી સુથારપાડા સુધીનો રસ્‍તો ખાડા ટેકરાવાળો હોવાથી ચોમાસામાં અકસ્‍માતનીઘટનાઓ વારંવાર બને છે તથા લોકોને જીવ ગુમાવવો પડે છે.
વલસાડ જિલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્‍ટેશન સેન્‍ટરની સુવિધા છે, પરંતુ કપરાડામાં આ સુવિધાના અભાવે આકસ્‍મિક પરિસ્‍થિતિઓમાં નિર્દોષ લોકોને બચાવી શકાતુ નથી. તમામ હકીકતો ધ્‍યાને લેતાં, કપરાડા ખાતે ફાયર સ્‍ટેશન સેન્‍ટર ઉપલબ્‍ધ કરાવવા સતિષભાઈ ડી. કરડેલ, હિરલકુમાર એ.પટેલ, પીનેશભાઈ આર.પવાર, ભાવેશભાઈ બી. ગાંવિત, હરેશભાઈ જી.રાઉત, સંજયભાઈ આર.ખાંડરા દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
કપરાડા તાલુકાના વિસ્‍તારથી જાણકાર અને આગ અને બચાવ કાર્યની તાલીમમાં નિપૂણ એવા કપરાડા તાલુકાના કેટલાક જવાનો છે. જેઓને આ ફાયર સ્‍ટેશન થકી નોકરી મળી જશે.
જાગ્રત યુવાનો અને કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા દ્વારા કપરાડામાં ફાયર સ્‍ટેશન સેન્‍ટર ઉપલબ્‍ધ કરાવવા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, કલેક્‍ટરશ્રી વલસાડ, મુખ્‍યમંત્રીશ્રી ગાંધીનગર, ગુજરાતને આવેદનપત્ર પાઠવ્‍યું છે.

Related posts

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

vartmanpravah

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

મોરાઈ વેલ્‍સપન કંપનીમાં નોકરીનો બાયોડેટા આપી પરત ફરતા ખેરગામના યુવાનને કાળ ભરખી ગયો

vartmanpravah

Leave a Comment