Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

પાલિકા પ્રમુખ મનીષ રાય અને કારોબારી અધ્‍યક્ષ અંકુશ કામળી તેમજ ચીફ ઓફિસર અતુલચંદ્ર સિંહાએ પ્રજાનું હિત અને જીવદયાને સમક્ષ રાખી વોર્ડ નંબર સાત વિસ્‍તારની બે એકર જમીનમાં પશુઓનું બનાવેલું સુરક્ષિત સ્‍થાન સાથે ગૌશાળાના નિર્માણની કામગીરીનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11 : ઉમરગામ પાલિકાના વોર્ડ નંબર સાતમાં બે એકર જમીનમાં આજરોજ ધારાસભ્‍ય રમણભાઈ પાટકરના હસ્‍તે ગૌશાળાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ સ્‍થળે પાલિકા તંત્રએ હંગામી ધોરણે જમીનની ફરતે કમ્‍પાઉન્‍ડ અને પશુઓના ખોરાકને સંગ્રહ કરવા માટે પતરાનો શેડ તેમજ પાણીની વ્‍યવસ્‍થા ઉભી કરી રખડતા ઢોરોને સંગ્રહ કરવાની કામગીરી ચાલુ કરી છે. પાલિકા તંત્રએ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્‍ત અપાવવા અભિયાન ચાલુ કરેલું છે. પાલિકા વિસ્‍તારના ઢોરોને પકડી પાલિકાની જૂની કચેરીના મેદાનમાં રાખવામાં આવી રહ્યા હતા.હવે આજથી વોર્ડ નંબર સાતના બે એકર મેદાનના મોકળાશવાળી જગ્‍યાએ ઢોરોને સ્‍થળાંતર કરી પૂરતી વ્‍યવસ્‍થા ઉભી કરતા અસરકારક પરિણામ આવવાની શકયતા દેખાઈ રહી છે. આ કામગીરી ચીફ ઓફિસર અતુલ ચંદ્રસિંહના વહીવટી અનુભવ અને યુવા તેમજ ઉત્‍સાહી પાલિકાના કારોબારી અધ્‍યક્ષ અંકુશભાઈ કામળીની વિચારધારા સાથે પ્રમુખ મનીષભાઈ રાયનો પૂરે પૂરો સહયોગ પ્રાપ્ત થતા પરિણામ લક્ષી કામગીરી થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે.
આ પ્રસંગે ઉમરગામ પાલિકાના ઉપ પ્રમુખ જયશ્રીબેન અજયભાઈ માછી, શાસક પક્ષના નેતા રાજાભાઈ ભરવાડ, પાલિકાના સભ્‍ય આદિત્‍યભાઈ, માજી સભ્‍ય સુનિલભાઈ પાર્વે, ભાજપના વરિષ્ઠ નેતા મણિકાંતભાઈ ઝા તેમજ મોટી સંખ્‍યામાં જીવદયા પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શહેર ભાજપ મહામંત્રી મનોજભાઈ ઝા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ અને રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર દ્વારા દાનહમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ નિમિત્તે કળષિ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે સમારોહનું આયોજન કરાયું

vartmanpravah

ખાનવેલ શાળામાં ઝોન લેવલ રંગોત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

બી.આર.ઍસ. કોલેજ થવા-ભરૂચ ખાતે ઍન.ઍસ.ઍસ.ઍકમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમા સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલા, પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ કર્મચારીગણ તેમજ ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજયભાઈ પટેલ દ્વારા ૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

vartmanpravah

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

Leave a Comment