September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના મુખ્‍ય મથક સેલવાસના ભુરકુડ ફળિયામાં રહેતા યુવાને કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રતિકકુમાર વિનોદચંદ્ર ખાખર (ઉ.વ.39) હાલ રહેવાસી ભુરકુડ ફળિયા- સેલવાસ અને મુળ રહેવાસી ધરમપુર. પ્રતિકકુમાર વિનોદચંદ્ર ખાખર દાનહની એક ખાનગી શાળામાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. પ્રતિકકુમારે બપોરે શાળામાંથી ઘરે આવી કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્‍યારે એમની શિક્ષિકા પત્‍નીએ ઘરે આવીને જોયું તો એમના પતિ ગળે ફાંસો લગાવેલ હાલતમાં હતા. આ જોઈ તેમના પગ નીચેથીજમીન ખસી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

vartmanpravah

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

vartmanpravah

Leave a Comment