Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારીપારડીવલસાડવાપી

બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયાના તેજસ્‍વી તારલાઓએ મેળવેલી સુવર્ણ ચંદ્રક સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11 : નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્‍તકની જુદી-જુદી ડિપ્‍લોમાં પોલીટેકનીકના વર્ષ 2022-2023 દરમ્‍યાન ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓના પ્રથમ વાર્ષિક પદવીદાન સમારંભ તા.05-10-2023ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના કુલપતિ ડો.ઝેડ.પી. પટેલની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્‍ય અતિથી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ લિમીટેડના ચેરમેન માનસિંહભાઈ પટેલ ઉપસ્‍થિત રહીને આ પદવીદાન સમારંભને ચાર ચાંદ લગાડયા હતા.
નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્‍તકની કૃષિ, બાગાયત, કૃષિ ઈજનેરી ડિપ્‍લોમાં પોલીટેકનીકના આચાર્યો, પ્રાધ્‍યાપકો તથા અન્‍ય અધિકારી અને કર્મચારીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા.
પ્રથમ પદવીદાન સમારંભમાં ઉપસ્‍થિત રહેલા મુખ્‍ય અતિથી માનસિંહભાઈ પટેલે વિદ્યાર્થીઓને ઉચ્‍ચ અભ્‍યાસ તથા જીવનલક્ષી ઉપયોગી નિવડે તેવી અનેક માહિતી આપી પોતાની જીવનગાથા દ્વારા સૌને પ્રેરીત કર્યા હતા. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીને પ્રગતિના પંથેઉચ્‍ચ શિખરે પહોંચાડનાર અને આ પ્રથમ પદવીદાન સમારંભ જેમની દેન છે એવા કુલપતિ ડો.ઝેડ.પી. પટેલે તમામ વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભ નિમિત્તે શુભેચ્‍છા પાઠવી હતી અને સૌને તેમના મધુર વચનથી મંત્રમુગ્‍ધ કર્યા હતા.
આ પ્રથમ પદવિદાન સમારંભમાં બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી, પરીયાના વિદ્યાર્થીઓ ક્રમાંક 1, 2 અને 3માં મોખરે રહ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંક ઓલ ઓવર બાગાયત પોલીટેકનીક વિદ્યાશાખામાં 9.17 ઓ.જી.પી.એ. સાથે અધયારૂં કિશન ધમેન્‍દ્રભાઈ, દ્વિતીય ક્રમાંક 8.98 ઓ.જી.પી.એ. સાથે ભંડેરી કુંજન ભુપતભાઈ અને તૃતિય ક્રમાંક 8.78 ઓ.જી.પી.એ. સાથે પટેલ હરીની વિનોદકુમાર. આ ત્રણેય વિદ્યાર્થીઓને બાગાયત વિદ્યાશાખામાં કુલપતિ શ્રી ડો. ઝેડ. પી. પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્‍માન કરાયું હતું. તેમજ આ પ્રથમ વાર્ષિક પદવીદાન સમારંભ બાગાયત વિદ્યાશાખામાં કુલ બે ગોલ્‍ડ મેડલ એનાયત કરવામાં આવ્‍યા હતા. જે બન્ને ગોલ્‍ડ મેડલ બાગાયત પોલીટેકનીક, પરીયાના વિદ્યાર્થીઓએ હાંસીલ કરી અનેરી સિધ્‍ધિ મેળવી હતી. પ્રથમ કુલપતિ ગોલ્‍ડ મેડલ અધયારૂં કિશન ધર્મેન્‍દ્રભાઈ અને દ્વિતીય શાંતાબેન છોટુભાઈ નાયક ખેડુત પુત્ર ગોલ્‍ડ મેડલ ભંડેરી કુંજન ભુપતભાઈને એનાયત થયો હતો. આ ઐતિહાસિક સિધ્‍ધિ અંગે બાગાયત પોલીટેકનીક, પરીયાના આચાર્યડો.શરદ એસ. ગાયકવાડએ પોતાની કોલેજના આ પ્રથમ પદવીદાન સમારંભમાં બન્ને ગોલ્‍ડ મેડલ મળતા ઉમંગની લાગણી સાથે ગોલ્‍ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ તથા તમામ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અંતઃકરણથી ઉજ્જવળ કારકિર્દી માટે આશિર્વચન સાથે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

Leave a Comment