April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.08: આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના વિવિધ શિવાલયોમાં ભક્‍તોની ભારેભીડ ઉમટી પડી હતી. હવેલી સવારથી જ મંદિરોમાં ભક્‍તોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. હર હર મહાદેવના નાદ સાથે મહાદેવના મંદિરે ભક્‍તો દ્વારા પૂજા-અર્ચના અને જળાભિષેક કરાયો હતો.
આ પ્રસંગે દમણમાં દલવાડાના બાસુકીનાથ મહાદેવ, કચીગામના કંઠેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, કુંતેશ્વર, તથા દાદરા નગર હવેલીમાં પણ વિવિધ શિવાલયોમાં ભક્‍તોએ શિવજીની પૂજા-અર્ચના સાથે જળાભિષેક કર્યો હતો અને ધન્‍યતા અનુભવી હતી. જેમાં બિન્‍દ્રાબિનના તડકેશ્વર મહાદેવ મંદિરે ખાસ વિશેષ પૂજા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં સેંકડો ભક્‍તોએ લાભ લીધો હતો.
દાદરા ખાતેના જ્‍યોતિશ્વર મહાદેવ મંદિરે પણ ભાવિક ભક્‍તોનો ભારે ધસારો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દાદરા ખાતેનું એકમાત્ર એવું શિવ મંદિર છે કે, જ્‍યાં દરેક ધાર્મિક તહેવારોની ભવ્‍ય ઉજવણી કરવામાં આવે છે. આજે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે ભક્‍તો માટે પૂજા તથા પાણી, મહાપ્રસાદ સહિતની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. અહીં સવારથી જ ભક્‍તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો અને સાંજે ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્‍યુંહતું.

Related posts

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.25: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને દમણ ખાતે આવકારવા માટે મારવાડી સમાજે રાજસ્‍થાનના કલાકારોને પરંપરાગત નૃત્‍યો કાલબેલિયા, ઘૂમર અને ભાણવઈની શાનદાર પ્રસ્‍તુતિ કરી હતી. આ પ્રસંગે રંગારંગ પ્રસ્‍તુતિ આપી પ્રધાનમંત્રીશ્રીના શાનદાર સ્‍વાગત સાથે ઉપસ્‍થિત તમામને રોમાંચિત કરી દીધાં હતા. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં કલાકાર શ્રી સુનીલ પરિહારની ટીમે રંગારંગ પ્રેઝન્‍ટેશન આપીને રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રાહ જોઈ રહેલા લોકોનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું.

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

પારડી બેઠક ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો રાત્રી ચૂંટણી સભાઓ દ્વારા ધૂંઆધાર પ્રચાર

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ’: ફળશ્રુતિરૂપ વિદ્યાસેતુ છાત્રાલય ગુંદીયા ધરમપુરના અંતરીયાળ વિસ્‍તારમાં શિક્ષણની જ્‍યોત જગાવતા શિક્ષકો પરેશભાઈ અને મયુરભાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

vartmanpravah

Leave a Comment