December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: બેંક ઓફ બરોડા દ્વારા સંચાલિત બરોડા આરસેટી-સેલવાસ દાનહના ખેરડી ગ્રામ પંચાયતના ડોલારા ગામમાં શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી પર દસ દિવસની ટ્રેનિંગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો, જેમાં 25 એસ.એચ.જી. મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ટ્રેનિંગ લેનારને વિવિધ ખેતી ટેકનીક જેવી કે પોલી હાઉસ, શેડ નેટ અંગે ટ્રેનિંગ આપવામાં આવી ટ્રેનર રાજેન્‍દ્ર કુમાર પટેલ દ્વારા આપવામાં આવી હતી.
દાનહ કૃષિ વિભાગના ટ્રેનરોને સમર્થન કર્યું હતું અને આગળની ગતિવિધિ શરૂ કરવા અને મહિલાઓને પ્રેરિત કરવા માટે તેઓએ ટામેટા, વેંગણ, લીંબુ જેવા વિવિધ છોડો આપી સહાયતા કરી છે અને આગળ પણ કોઈપણ આવશ્‍યકતા માટે આશ્વાસન આપ્‍યું હતું. આ અવસરે ખેરડી ગામના સરપંચ શ્રી યશવંત ઘુટીયા અને એમની ટીમે ભાગ લીધો હતો અને તેઓને પણ સહાયતા આપવાનું આશ્વાશન આપવામાં આવ્‍યું હતું. ટ્રેનિંગ કાર્યક્રમના સમન્‍વયન બરોડા આરસેટી સેલવાસના સંકાય સંદીપ રાવતયા દ્વારા કરવામાંઆવ્‍યું હતું અને કાર્યાલય સહાયક રાકેશ સાવંત દ્વારા સમર્થિત કરવામાં આવ્‍યું હતું. ટ્રેનિંગ લેનાર દરેકને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીને આરોગ્‍ય સૂચક આંકના આધારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મળેલું પ્રથમ સ્‍થાન

vartmanpravah

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

પારડીમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment