(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.04: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપનાવિવિધ વિકાસલક્ષી કામોની જાણકારી પણ અધિકારીઓ પાસેથી મેળવી હતી. દાદરા નગર હવેલી અને દમણ-દીવની સાથે લક્ષદ્વીપનો વિકાસ પણ સંગીન થાય એ દિશામાં હંમેશા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસો રહ્યા છે. જેની કડીમાં તેઓ નિયમિત રીતે લક્ષદ્વીપની મુલાકાત લેતા રહે છે.