Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

નવરાત્રી આદ્યશક્‍તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીના દર્શન
કરવાની પરંપરા ઉજાગર થઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: ગત રવિવારથી આદ્યશક્‍તિ જગદંબાની નવલી નવરાત્રીનો વલસાડ જિલ્લામાં આનંદ ઉત્‍સાહ સાથે પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી એ શક્‍તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીની ભક્‍તિ કરવાનો આ નવ દિનમાં અમુલો અવસર હોવાથી ભાવિકો નજીકમાં આવેલ તમામ માતાજીના મંદિરમાં દર્શન કરવા ઉમટી પડતા હોય છે. પારનેરા ડુંગર ઉપર બિરાજમાન આશાપુરા-ચામુંડાના દર્શન કરવા માટે પ્રથમ નોરતાથી જ ભાવિકો હજારોની સંખ્‍યામાં ઉમટી રહ્યા છે.
પારનેરા ડુંગર સ્‍થિત માતાજીના મંદિરનો ખાસ મહિમા એ છે કે અહીં સમગ્ર ગુજરાતમાં માતાજીનું એકમાત્ર સ્‍થાનક છે કે જ્‍યાં ત્રિમૂર્તિ સ્‍વરૂપચામુંડા માતાજી બીરાજમાન હોવાથી વલસાડ જિલ્લાભરના યાત્રાળુઓ બારેમાસ દર્શન કરવા ઉમટી પડે છે. તેમાં પણ નવરાત્રી એટલે શક્‍તિ ઉપાસનાનું પર્વ હોવાથી અધિકથી અધિક ભાવિકો નવરાત્રીમાં પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

Related posts

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

એક આરોપીની ધરપકડ: દાનહના નરોલી-કચીગામ રોડ ઉપર આવેલા એક મકાનમાંથી નકલી પનીર બનાવવાનું કારખાનુ ઝડપાયું: 400 કિલો નકલી પનીર પણ બરામદ

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

vartmanpravah

Leave a Comment