Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

નવરાત્રી આદ્યશક્‍તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીના દર્શન
કરવાની પરંપરા ઉજાગર થઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: ગત રવિવારથી આદ્યશક્‍તિ જગદંબાની નવલી નવરાત્રીનો વલસાડ જિલ્લામાં આનંદ ઉત્‍સાહ સાથે પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી એ શક્‍તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીની ભક્‍તિ કરવાનો આ નવ દિનમાં અમુલો અવસર હોવાથી ભાવિકો નજીકમાં આવેલ તમામ માતાજીના મંદિરમાં દર્શન કરવા ઉમટી પડતા હોય છે. પારનેરા ડુંગર ઉપર બિરાજમાન આશાપુરા-ચામુંડાના દર્શન કરવા માટે પ્રથમ નોરતાથી જ ભાવિકો હજારોની સંખ્‍યામાં ઉમટી રહ્યા છે.
પારનેરા ડુંગર સ્‍થિત માતાજીના મંદિરનો ખાસ મહિમા એ છે કે અહીં સમગ્ર ગુજરાતમાં માતાજીનું એકમાત્ર સ્‍થાનક છે કે જ્‍યાં ત્રિમૂર્તિ સ્‍વરૂપચામુંડા માતાજી બીરાજમાન હોવાથી વલસાડ જિલ્લાભરના યાત્રાળુઓ બારેમાસ દર્શન કરવા ઉમટી પડે છે. તેમાં પણ નવરાત્રી એટલે શક્‍તિ ઉપાસનાનું પર્વ હોવાથી અધિકથી અધિક ભાવિકો નવરાત્રીમાં પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

Related posts

વાપી રોટરી હરિયા હોસ્‍પિટલને કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટરની માન્‍યતા મળી મુંબઈથી સુરત વચ્‍ચે પ્રથમ કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ યુનિટ વાપીમાં કાર્યરત થશે

vartmanpravah

‘સેવા સપ્તાહ અંતર્ગત’ ભાજપ કડૈયા મંડળ પ્રમુખ જતીન પટેલ દ્વારા મહિલા આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણમાં પોલીસ વિભાગ દ્વારા ત્રિરંગા રેલી યોજાઈ: એકતા, અખંડિતતા અને અનુશાસનનો આપેલો સંદેશ

vartmanpravah

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment