October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

નવરાત્રી આદ્યશક્‍તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીના દર્શન
કરવાની પરંપરા ઉજાગર થઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: ગત રવિવારથી આદ્યશક્‍તિ જગદંબાની નવલી નવરાત્રીનો વલસાડ જિલ્લામાં આનંદ ઉત્‍સાહ સાથે પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી એ શક્‍તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીની ભક્‍તિ કરવાનો આ નવ દિનમાં અમુલો અવસર હોવાથી ભાવિકો નજીકમાં આવેલ તમામ માતાજીના મંદિરમાં દર્શન કરવા ઉમટી પડતા હોય છે. પારનેરા ડુંગર ઉપર બિરાજમાન આશાપુરા-ચામુંડાના દર્શન કરવા માટે પ્રથમ નોરતાથી જ ભાવિકો હજારોની સંખ્‍યામાં ઉમટી રહ્યા છે.
પારનેરા ડુંગર સ્‍થિત માતાજીના મંદિરનો ખાસ મહિમા એ છે કે અહીં સમગ્ર ગુજરાતમાં માતાજીનું એકમાત્ર સ્‍થાનક છે કે જ્‍યાં ત્રિમૂર્તિ સ્‍વરૂપચામુંડા માતાજી બીરાજમાન હોવાથી વલસાડ જિલ્લાભરના યાત્રાળુઓ બારેમાસ દર્શન કરવા ઉમટી પડે છે. તેમાં પણ નવરાત્રી એટલે શક્‍તિ ઉપાસનાનું પર્વ હોવાથી અધિકથી અધિક ભાવિકો નવરાત્રીમાં પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

Related posts

બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવાI I-KHEDUT પોર્ટલ પર તા.31 ઓક્‍ટો. સુધી અરજી કરવી

vartmanpravah

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

કમોસમી વરસાદથી નુકશાન વળતર આપવામાં વલસાડ જિલ્લો બાકાત રખાતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખાનવેલ શાળામાં ઝોન લેવલ રંગોત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment