February 28, 2026
Vartman Pravah
Other

વાપી જનમ ટ્રસ્‍ટ અને સલવાવ ગુરુકુળ દ્વારા લોક ડાયરો યોજાશે

25 ઓક્‍ટોબરના રોજ મુક્‍તાનંદ માર્ગ ચલા ખાતે યોજાશે ડાયરો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: મા જનમ ટ્રસ્‍ટ અને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ દ્વારા આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ વાપી ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વાપી ખાતે કોરોના મહામારીસમયથી ભૂખ્‍યા માટે ભોજનના ઉદેશ્‍સ્‍યથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્‍ક અન્નક્ષેત્રને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્‍યા લોકોની જઠરાગ્ની ઠારવાનું ઉમદા કાર્ય ‘‘મા જનમ ટ્રસ્‍ટ” દ્વારા ચાલી રહ્યું છે. આ ઉપરાંત શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ જે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ સંસ્‍થાનો સેવાકીય કાર્યો કરતી સંસ્‍થા જે નિરાધાર કન્‍યાઓને મફત નિવાસી શિક્ષણ આધુનિક સુવિધા સાથે પૂરું પાડવા સાથે આદિવાસી ક્ષેત્રમાં અનેક લોક કલ્‍યાણના કાર્યો કરે છે. આ બંને સંસ્‍થાના લાભાર્થે આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ રાત્રે 8.30 કલાકે વાપીના ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોક ડાયરામાં જાણીતા લોક ગાયક અને લોક સાહિત્‍યકાર તેજ્‍દાન ગઢવી તથા હાસ્‍ય કલાકાર કમલેશ પ્રજાપતિ ઉપસ્‍થિત રહી ભજન, ગીત-સંગીત અને હાસ્‍યની છોળ વરસાવશે. આ લોક ડાયરો નિઃશુલ્‍ક માણવા જાહેર જનતાને આમંત્રણ આપ્‍યું છે.

Related posts

વાપીના ચાર કોલ્ડ સ્ટોરેજ પૈકી ત્રણ ખરાબ હાલતમાં : શબને વલસાડ લઈ જવા પડે છે

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણમાં 2004ના 3જી ઓગસ્‍ટે આવેલા ભયાનક પૂરથી સત્તાના કાંગરા ખરવાની શરૂઆત થઈ હતી

vartmanpravah

દાદરાની ગુજરાતી માધ્‍યમ હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષિકા વિરૂદ્ધ કલેક્‍ટરશ્રીને કરેલી ફરિયાદ

vartmanpravah

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

નરોલીની આંબાવાડીમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલવા દાનહ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

દાનહના મસાટની સરકારી માધ્‍યમિક શાળાના પ્રાંગણમાં બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment