July 19, 2026
Vartman Pravah
Other

વાપી જનમ ટ્રસ્‍ટ અને સલવાવ ગુરુકુળ દ્વારા લોક ડાયરો યોજાશે

25 ઓક્‍ટોબરના રોજ મુક્‍તાનંદ માર્ગ ચલા ખાતે યોજાશે ડાયરો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: મા જનમ ટ્રસ્‍ટ અને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ દ્વારા આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ વાપી ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વાપી ખાતે કોરોના મહામારીસમયથી ભૂખ્‍યા માટે ભોજનના ઉદેશ્‍સ્‍યથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્‍ક અન્નક્ષેત્રને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્‍યા લોકોની જઠરાગ્ની ઠારવાનું ઉમદા કાર્ય ‘‘મા જનમ ટ્રસ્‍ટ” દ્વારા ચાલી રહ્યું છે. આ ઉપરાંત શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ જે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ સંસ્‍થાનો સેવાકીય કાર્યો કરતી સંસ્‍થા જે નિરાધાર કન્‍યાઓને મફત નિવાસી શિક્ષણ આધુનિક સુવિધા સાથે પૂરું પાડવા સાથે આદિવાસી ક્ષેત્રમાં અનેક લોક કલ્‍યાણના કાર્યો કરે છે. આ બંને સંસ્‍થાના લાભાર્થે આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ રાત્રે 8.30 કલાકે વાપીના ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોક ડાયરામાં જાણીતા લોક ગાયક અને લોક સાહિત્‍યકાર તેજ્‍દાન ગઢવી તથા હાસ્‍ય કલાકાર કમલેશ પ્રજાપતિ ઉપસ્‍થિત રહી ભજન, ગીત-સંગીત અને હાસ્‍યની છોળ વરસાવશે. આ લોક ડાયરો નિઃશુલ્‍ક માણવા જાહેર જનતાને આમંત્રણ આપ્‍યું છે.

Related posts

આજે દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણઃ વાયદાઓની સમયમર્યાદા પણ ખતમ

vartmanpravah

દાનહઃ અથાલમાં કન્‍ટેઈનરની અડફેટે એક યુવતિનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

દમણ-દીવમાં 100 ટકા સ્‍થાનિક ડોમિસાઈલથી સરકારી ભરતી કરવાનો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો સંકલ્‍પ

vartmanpravah

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

દાદરાની ગ્રોવર ઍન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

તમિલનાડુના કોઈમ્‍બતુરમાં યોજાનાર એન.સી.એ. અંડર-23 ઇમર્જિંગ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે દમણના ઉભરતા યુવા ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલની પસંદગી

vartmanpravah

Leave a Comment