Vartman Pravah
Other

વાપી જનમ ટ્રસ્‍ટ અને સલવાવ ગુરુકુળ દ્વારા લોક ડાયરો યોજાશે

25 ઓક્‍ટોબરના રોજ મુક્‍તાનંદ માર્ગ ચલા ખાતે યોજાશે ડાયરો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: મા જનમ ટ્રસ્‍ટ અને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ દ્વારા આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ વાપી ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વાપી ખાતે કોરોના મહામારીસમયથી ભૂખ્‍યા માટે ભોજનના ઉદેશ્‍સ્‍યથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્‍ક અન્નક્ષેત્રને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્‍યા લોકોની જઠરાગ્ની ઠારવાનું ઉમદા કાર્ય ‘‘મા જનમ ટ્રસ્‍ટ” દ્વારા ચાલી રહ્યું છે. આ ઉપરાંત શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ જે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ સંસ્‍થાનો સેવાકીય કાર્યો કરતી સંસ્‍થા જે નિરાધાર કન્‍યાઓને મફત નિવાસી શિક્ષણ આધુનિક સુવિધા સાથે પૂરું પાડવા સાથે આદિવાસી ક્ષેત્રમાં અનેક લોક કલ્‍યાણના કાર્યો કરે છે. આ બંને સંસ્‍થાના લાભાર્થે આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ રાત્રે 8.30 કલાકે વાપીના ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોક ડાયરામાં જાણીતા લોક ગાયક અને લોક સાહિત્‍યકાર તેજ્‍દાન ગઢવી તથા હાસ્‍ય કલાકાર કમલેશ પ્રજાપતિ ઉપસ્‍થિત રહી ભજન, ગીત-સંગીત અને હાસ્‍યની છોળ વરસાવશે. આ લોક ડાયરો નિઃશુલ્‍ક માણવા જાહેર જનતાને આમંત્રણ આપ્‍યું છે.

Related posts

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

vartmanpravah

દમણ ન.પા.ના ચીફ ઓફિસર સંજામ સિંઘના નેતૃત્‍વમાં દમણ ન.પા.ના ફિલ્‍ડ સુપરવાઈઝરો હવે યુનિફોર્મ, આઈકાર્ડ તથા સેફટી શુઝમાં દેખાશેઃ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ કરેલું વિતરણ

vartmanpravah

આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર પુરસ્‍કૃત

vartmanpravah

કેન્‍દ્રની મોદી સરકાર પ્રદેશના આદિવાસીઓના વિકાસમાટે સમર્પિતઃ દીપેશ ટંડેલ

vartmanpravah

Leave a Comment