Vartman Pravah
Other

વાપી જનમ ટ્રસ્‍ટ અને સલવાવ ગુરુકુળ દ્વારા લોક ડાયરો યોજાશે

25 ઓક્‍ટોબરના રોજ મુક્‍તાનંદ માર્ગ ચલા ખાતે યોજાશે ડાયરો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: મા જનમ ટ્રસ્‍ટ અને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ દ્વારા આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ વાપી ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વાપી ખાતે કોરોના મહામારીસમયથી ભૂખ્‍યા માટે ભોજનના ઉદેશ્‍સ્‍યથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્‍ક અન્નક્ષેત્રને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્‍યા લોકોની જઠરાગ્ની ઠારવાનું ઉમદા કાર્ય ‘‘મા જનમ ટ્રસ્‍ટ” દ્વારા ચાલી રહ્યું છે. આ ઉપરાંત શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ જે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ સંસ્‍થાનો સેવાકીય કાર્યો કરતી સંસ્‍થા જે નિરાધાર કન્‍યાઓને મફત નિવાસી શિક્ષણ આધુનિક સુવિધા સાથે પૂરું પાડવા સાથે આદિવાસી ક્ષેત્રમાં અનેક લોક કલ્‍યાણના કાર્યો કરે છે. આ બંને સંસ્‍થાના લાભાર્થે આગામી તારીખ 25/10/2023 બુધવારના રોજ રાત્રે 8.30 કલાકે વાપીના ચલા મુક્‍તાનંદ માર્ગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોક ડાયરામાં જાણીતા લોક ગાયક અને લોક સાહિત્‍યકાર તેજ્‍દાન ગઢવી તથા હાસ્‍ય કલાકાર કમલેશ પ્રજાપતિ ઉપસ્‍થિત રહી ભજન, ગીત-સંગીત અને હાસ્‍યની છોળ વરસાવશે. આ લોક ડાયરો નિઃશુલ્‍ક માણવા જાહેર જનતાને આમંત્રણ આપ્‍યું છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના 67મા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

vartmanpravah

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

Leave a Comment