April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: અંદાજિત છેલ્લા ત્રણ-ચાર દિવસથી દીવના જાલંધર દરિયાઈ કિનારાની પટ્ટી ઉપર એક નેવી જહાજ ફરી રહ્યુ છે, ત્‍યારે દીવના લોકો માટે અનેક તર્કવિતર્કો સર્જાયા છે, પરંતુ આ જહાજની માહિતી પોર્ટ ઓફિસર સુકર આંજણી પાસે લેતા તેમણે જણાવ્‍યું હતું કે, આ જહાજ નેવીનું જહાજ છે, જે મુંબઈથી થોડા દિવસો પહેલા પણ આવ્‍યું છે, અને હાલ હજુ દીવમાં ફરી રહ્યુ છે.
પોર્ટ ઓફિસર સુકર આંજણીના જણાવ્‍યા મુજબ તે ટાઈડ સર્વે માટે દીવ પહોંચ્‍યું છે અને તે દીવ ખાતે બે ત્રણ દિવસ દરમિયાન દરિયામાં આવતી ભરતી ઓટ તથા હાલ દરિયામાં થતા ફેરફારો વગેરે અંગે નિરિક્ષણ કરશે, અને રિપોર્ટ તૈયાર કરી હાઈ ઓથોરિટીને સોંપવામાંઆવશે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘના દમણ પ્રોગ્રામ કમીટિના અધ્‍યક્ષ તરીકે રાજેશ વાડેકર અને ગ્રિવેન્‍સિસ કમીટિના અધ્‍યક્ષ પદે કેતનકુમાર ભંડારીની કરેલી જાહેરાત

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

લાયન્‍સ ઈન્‍ટરનેશનલની સંસ્‍થાઓમાં વાપીના ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ

vartmanpravah

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતીની ઉજવણી : સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment