(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17: અંદાજિત છેલ્લા ત્રણ-ચાર દિવસથી દીવના જાલંધર દરિયાઈ કિનારાની પટ્ટી ઉપર એક નેવી જહાજ ફરી રહ્યુ છે, ત્યારે દીવના લોકો માટે અનેક તર્કવિતર્કો સર્જાયા છે, પરંતુ આ જહાજની માહિતી પોર્ટ ઓફિસર સુકર આંજણી પાસે લેતા તેમણે જણાવ્યું હતું કે, આ જહાજ નેવીનું જહાજ છે, જે મુંબઈથી થોડા દિવસો પહેલા પણ આવ્યું છે, અને હાલ હજુ દીવમાં ફરી રહ્યુ છે.
પોર્ટ ઓફિસર સુકર આંજણીના જણાવ્યા મુજબ તે ટાઈડ સર્વે માટે દીવ પહોંચ્યું છે અને તે દીવ ખાતે બે ત્રણ દિવસ દરમિયાન દરિયામાં આવતી ભરતી ઓટ તથા હાલ દરિયામાં થતા ફેરફારો વગેરે અંગે નિરિક્ષણ કરશે, અને રિપોર્ટ તૈયાર કરી હાઈ ઓથોરિટીને સોંપવામાંઆવશે.