October 26, 2025
Vartman Pravah
Other

વાપીના ચાર કોલ્ડ સ્ટોરેજ પૈકી ત્રણ ખરાબ હાલતમાં : શબને વલસાડ લઈ જવા પડે છે

મરામત અને યોગ્ય સંચાલનના અભાવે ઉભી થયેલ સ્થિતિઃ વાપીમાં મહિને ૧૦ ઉપરાંત લાશોને સાચવવાની જરૂરીયાત ઉભી થાય છે

 

 

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા. ૦૮
વાપી, રેલ્વે સ્ટેશન સાથે સંકળાયેલ મથક છે. રેલ્વેમાં પાટા અોળંગતા અનેક અજાણ્યા મોતને ભેટે છે. ભિખારીઅો જ્યાં ત્યાં મૃત હાલતમાં મળે છે. તેથી વાપીમાં બિનવારસી લાશ સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની અતિ આવશ્યકતા હતી અને ભૂતકાળમાં માંગ પૂર્ણ પણ થઈ છે.
વાપી પી.ઍસ.સી. ખાતે ચાર કોલ્ડ સ્ટોરેજ કાર્યરત કરવામાં આવ્યા હતા. પરંતુ જાળવણી અને વહીવટી ખામીને લઈ હાલમાં ઍક જ કોલ્ડ સ્ટોરેજ ચાલુ છે જેથી કરીને લાશને વલસાડ સુધી લઈ જવાની વાપીને માથે વધુ ઍક કમનસીબી થોપાઈ છે.
વાપીમાં દોઢેક વર્ષ પહેલા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી અરવિંદ શર્મા વગેરેના નોîધનીય પ્રયત્નોમાં ચાર યુનિટ ધરાવતુ કોલ્ડ સ્ટોરેજ કાર્યરત કરવામાં આવ્યું છે. પરંતુ માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં કોલ્ડ સ્ટોરેજનું ઍકમાત્ર યુનિટ કાર્યરત છે. આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગ ખો આપી રહ્નાં છે.
ઈઆર.ઍમ.અો. ડો.નિતિન પટેલે આ સમસ્યાનો ફોડ પાડતા જણાવ્યું હતું કે, યુનિટ મરામત માટે બ્લ્યુસ્ટાર કંપનીઍ ૭૫૦૦ રૂ. વિઝીટ ફીના માંગ્યા છે જે ચૂકવે કોણ ઍવી અવઢવ ઉભી થઈ છે. બીજી તરફ પાલિકાઍ કોલ્ડ સ્ટોરેજ માટે જ્ગ્યા, રૂમ ફાળવ્યા છે પરંતુ નિભાવ અનેજાળવણી માટે હાલ કોઈ ઍજન્સી જવાબદારી નહી ઉઠાવતી હોવાથી ૩ કોલ્ડ સ્ટોરેજ યુનિટ બંધ હાલતમાં છે અને બીનવારસી લાશો અંગે કામગીરી કરતી જયમતે ઉલેમા ટ્રસ્ટ, રેલ્વે પોલીસ, પોલીસ વિગેરેને મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્ના છે. ક્યારેક લાશ કહોવાઈ જતી હોય છે અથવા વલસાડ કોલ્ડ સ્ટોરેજ સુધી પહોîચાડવી પડતી હોય છે ત્યારે વાપીની કોઈ સામાજિક સંસ્થા અથવા ઉદ્યોગપતિઍ આગળ આવવું પડશે અને કોલ્ડ સ્ટોરેજ જાળવણી નિભવણીની જવાબદારી ઉઠાવવી પડશે તેવી સમયની માંગ વર્તાઈ રહી છે.

Related posts

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડ પ્રકરણમાં આઈ.પી.એસ. અધિકારી આર.પી. મીણાને નહીં મળી રાહત

vartmanpravah

સેલવાસના કૃષ્‍ણા કેન્‍સર એડ એસોસિએશન દ્વારા આયોજીત ‘બ્રેસ્‍ટ કેન્‍સર અવરનેશ’ મેરેથોનમાં 1500થી વધુ લોકોએ લગાવેલી દોડ

vartmanpravah

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

સેલવાસના મસાટ ખાતે નિર્મિત ઓઆઈડીસીના અદ્યતન ગોડાઉનની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સેલવાસ સરકિટ હાઉસમાં ‘ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખારીવાડી નાની દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના સચિવ અસગર અલીએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment