(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22 : સેલવાસના એકદંત સોસાયટી નજીક રિંગરોડ પર મોડી રાત્રિએ બે જૂથ વચ્ચે કોઈક કારણોસર અચાનક મારામારી શરૂ હતી. બનાવને સોસાયટી તથા આજુબાજુના જોતાં લોકો એકત્ર થયા હતા. ત્યારબાદ બનાવ અંગેની જાણ સોસાયટીના રહીશોએ પોલીસને કરતા પી.એસ.આઈ. શ્રી શશિકુમાર સિંગ સહિત પોલીસની ટીમ બનાવ સ્થળેદોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો. આ મારામારી કયા કારણસર થઈ એ બાબતની માહિતી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી જાણવા મળી નથી.