Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશ

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
શનિવારે નાની દમણના દરિયા કિનારે સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર સમુદ્ર નારાયણ મંદિરના નિર્માણ માટે નાની દમણ જેટી ખાતે જગ્‍યાનીફાળવણી કરવામાં આવી હતી. જેમાં દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ની મુખ્‍ય ભૂમિકા રહી હતી.
શનિવારે આયોજીત શિલાન્‍યાસ વિધિમાં પ્રશાસન તરફથી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા પોતાની ધર્મપત્‍ની સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી ચંદ્રગીરી ટંડેલ, યુવા નેતા શ્રી આશિષ પ્રભાકર, શ્રી ધર્મેશ ટંડેલ, આગેવાન ધારાશાસ્‍ત્રી શ્રી રજનીકાંત ટંડેલ, શ્રી સતિષ પંચક વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સમુદ્ર નારાયણ મંદિરના પટાંગણ ખાતે દર ગુરૂવારે મહા આરતીનું ભાવભક્‍તિ પૂર્વક આયોજન કરવામાં આવે છે, જેમાં માછી સમાજ સહિત આજુબાજુ વિસ્‍તારના લોકો મોટી સંખ્‍યામાં ભાગ લઈ રહ્યા છે.

Related posts

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

સલવાવની ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની ક્‍વોલિટી એસ્‍યુરન્‍સ અને ફાર્માસ્‍યુટિક્‍સ બંને શાખાનું 100 ટકા પરિણામ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

બલીઠામાં પ્‍લાસ્‍ટીક વેસ્‍ટની આડમાં ટેમ્‍પામાં લઈ જવાતો રૂા.3.43 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment