March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશ

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
શનિવારે નાની દમણના દરિયા કિનારે સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર સમુદ્ર નારાયણ મંદિરના નિર્માણ માટે નાની દમણ જેટી ખાતે જગ્‍યાનીફાળવણી કરવામાં આવી હતી. જેમાં દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ની મુખ્‍ય ભૂમિકા રહી હતી.
શનિવારે આયોજીત શિલાન્‍યાસ વિધિમાં પ્રશાસન તરફથી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા પોતાની ધર્મપત્‍ની સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી ચંદ્રગીરી ટંડેલ, યુવા નેતા શ્રી આશિષ પ્રભાકર, શ્રી ધર્મેશ ટંડેલ, આગેવાન ધારાશાસ્‍ત્રી શ્રી રજનીકાંત ટંડેલ, શ્રી સતિષ પંચક વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સમુદ્ર નારાયણ મંદિરના પટાંગણ ખાતે દર ગુરૂવારે મહા આરતીનું ભાવભક્‍તિ પૂર્વક આયોજન કરવામાં આવે છે, જેમાં માછી સમાજ સહિત આજુબાજુ વિસ્‍તારના લોકો મોટી સંખ્‍યામાં ભાગ લઈ રહ્યા છે.

Related posts

બાઈક પર ત્રિપ્‍પલ સવારી દરમિયાન એક વ્‍યક્‍તિ પડી જવાના બનાવમાં દાનહ જિલ્લા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ બી.એચ.પરમારે બાઈકચાલકને એક દિવસની જેલ અને રૂા.નવ હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

vartmanpravah

વલસાડની શાકમાર્કેટનાં પ્રશ્ને લોકદરબાર બોલાવવાની કલેકટર સમક્ષ માંગણી

vartmanpravah

દમણમાં ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની શૌર્યભેર થયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment