(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10
શનિવારે નાની દમણના દરિયા કિનારે સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર સમુદ્ર નારાયણ મંદિરના નિર્માણ માટે નાની દમણ જેટી ખાતે જગ્યાનીફાળવણી કરવામાં આવી હતી. જેમાં દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ની મુખ્ય ભૂમિકા રહી હતી.
શનિવારે આયોજીત શિલાન્યાસ વિધિમાં પ્રશાસન તરફથી નાયબ કલેક્ટર શ્રી મોહિત મિશ્રા પોતાની ધર્મપત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ચંદ્રગીરી ટંડેલ, યુવા નેતા શ્રી આશિષ પ્રભાકર, શ્રી ધર્મેશ ટંડેલ, આગેવાન ધારાશાસ્ત્રી શ્રી રજનીકાંત ટંડેલ, શ્રી સતિષ પંચક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સમુદ્ર નારાયણ મંદિરના પટાંગણ ખાતે દર ગુરૂવારે મહા આરતીનું ભાવભક્તિ પૂર્વક આયોજન કરવામાં આવે છે, જેમાં માછી સમાજ સહિત આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.