October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

દેશના વિકાસ માટે બાળકોને શિક્ષિત બનાવવા ખુબ જ જરૂરીઃ પવન એચ. બનસોડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય શ્રી શ્રીધર એમ. ભોસલેના માર્ગદર્શનમાં શનિવારે મોટી દમણ કોર્ટ પરિસરમાં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય સહ સચિવ શ્રી પવન એચ. બનસોડે શાળાના બાળકોને ન્‍યાયપાલિકાની પ્રક્રિયાની બાબતમાં જાણકારી આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત આ કાનૂની સાક્ષરતા શિબિરમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય સહ સચિવ શ્રી પવન એચ. બનસોડે શાળાના બાળકોને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, દેશના વિકાસ માટે બાળકોને શિક્ષિત બનાવવા ખુબજ જરૂરી છે. જ્‍યાં સુધી યુવા પેઢીશિક્ષિત નહીં હશે ત્‍યાં સુધી તેમણે કાનૂની અધિકારો અને કર્તવ્‍યની જાણકારી પણ આપી નથી શકાતી. તેમણે બાળકોના 8મા ધોરણમાં સમાજશાષા વિષયમાં ન્‍યાયપાલિકા પ્રકરણની બાબતમાં જાણકારી આપતાં તેમણે નીચલી અદાલત, જિલ્લા અને સત્ર ન્‍યાયાલય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની પ્રક્રિયાની જાણકારી આપી હતી.
પ્રારંભમાં યુવા એડવોકેટ શ્રી ઉદય પટેલે શિક્ષણના અધિકારની માહિતી આપતા જણાવ્‍યું હતું કે, દેશના નાગરિકોને બંધારણમાં દરેકને ભણવા-લખવાનો અધિકાર આપવામાં આવ્‍યો છે. આ કાયદો દેશના પ્રત્‍યેક 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફત શિક્ષણ આપવાનો પક્ષધર છે. ખાનગી શાળાઓમાં પણ 25 ટકા બેઠકો અનામત વર્ગના બાળકો માટે આરક્ષિત રાખવાની છે. આ નિયમનું પાલન નહીં કરતી શાળાઓની માન્‍યતા રદ્‌ કરવાનું પણ પ્રાવધાન છે. આ અધિનિયમ અંતર્ગત દરેક શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ હોવી આવશ્‍યક છે. જેમાં ક્‍લાસરૂમ, ટોયલેટ, રમતનું મેદાન, પીવાનું પાણી, બપોરનું ભોજન અને પુસ્‍તકાલય સામેલ છે. આ અધિનિયમના મુજબ શાળા કોઈપણ પ્રકારનું ડોનેશન, કેપીટેશન ફી લઈ શકતી નથી. તેમણે શુદ્ધ હવા, જળ, ખોરાક, રહેઠાણ અને શિક્ષણના અધિકારની બાબતમાં પણ જાણકારી આપી હતી.

Related posts

દમણમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા યોજાયેલી ભવ્‍ય કાર રેલી

vartmanpravah

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત દિલ્‍હી કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં યોજાયેલ કાર્યશાળામાં દમણથી વસિમ સૈયદ અને દાનહના મુસ્‍તાકભાઈ તવાએ આપેલી હાજરી

vartmanpravah

સેલવાસ સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા આવેલ કમલેશ યાદવ પાસેથી બે અજાણ્‍યા યુવકોએ યુક્‍તિ અજમાવી રૂા. વીસ હજાર લઈને ફરાર થયા

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

Leave a Comment