Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદીવ

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્‍વ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સુરત અને અમદાવાદથી દીવ માટે વિમાન સેવાનો પ્રારંભ આજથી થયો છે. કેન્‍દ્ર સરકારની ‘ઉડાન 5.0′ યોજના અંતર્ગત સુરત અને અમદાવાદથી આ સેવા શરૂ થઈ રહી છે. આ ફલાઈટ ઈન્‍ડિગો એરલાઈન્‍સ (6ઈ)ની હશે અને આજથી રોજ સંચાલિત થશે. દીવથી સુરત અને સુરતથી દીવ આવવા-જવા માટે એરલાઈન્‍સની ટિકિટનો ખર્ચ લગભગ રૂા.2500 પ્રતિ ટિકિટ રહેશે. જ્‍યારે દીવથી અમદાવાદ અને અમદાવાદથી દીવ માટે લગભગ રૂા.3100ની એક ટિકિટ હશે.
અત્રે નોંધનીય છે કે, સુરત અને અમદાવાદથી દીવ માટે સીધી વિમાની સેવા શરૂ થવાથી પ્રવાસનને પણ ઉત્તેજન મળશે અને ધંધા-વેપાર સંભાવનાઓમાં પણ વધારો થશે.
મળતી માહિતી પ્રમાણે આવતા દિવસોમાં સ્‍પાઈસ જેટ અને ઘોડાવત ગ્રુપની હવાઈ સેવા પણ સુરત અને અમદાવાદથી દીવ માટે શરૂ થવાની છે. આ ક્રમમાં દીવથી સૌરાષ્‍ટ્ર માટે પણ હવાઈ ઉડાનો શરૂ કરાશે. જેથી શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્‍થળોના અવાગમન માટે પણ સુગમતા રહેશે.

Related posts

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

પિપરિયા તરફ પ્રયાણ  યુવાનો સામે પહેલી સમસ્‍યા ઉભી થઈ તે સિલવાસાના પોર્ટુગીઝ જાસૂસોની

vartmanpravah

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

Leave a Comment