Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના મહિલાચિત્રકારે અયોધ્‍યા તુલસીપીઠના જગતગુરુને રામ મંદિર પેઈન્‍ટિંગ એનાયત કર્યું

જાગૃતિબેન કાંકરીયા રાષ્‍ટ્રિય-આંતરરાષ્‍ટ્રિય ચિત્ર એક્‍ઝિબિશનમાં ભાગ લઈ વિજેતા રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી ગુંજન વિસ્‍તારમાં નિવાસ કરતા જાણીતા મહિલા ચિત્રકાર જાગૃતિબેન કાકરીયાએ તાજેતરમાં અયોધ્‍યાની મુલાકાત લીધી હતી. અયોધ્‍યામાં આવેલ તુલસીપીઠના જગતગુરુ રામ ભદ્રાચાર્યને રામ મંદિરનું અદભૂત સ્‍વરચિત પેઈન્‍ટિંગ અર્પણ કર્યું હતું.
અયોધ્‍યામાં આવેલ જાણીતા તુલસીપીઠ આશ્રમ ચિત્રકુટમાં પીઠાધિકારી જગતગુરુ રામ ભદ્રાચાર્ય લેખિત પુસ્‍તક વિમોચન કાર્યક્રમ હતો. આ પુસ્‍તક વિમોચન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં દેશના પ્રસિધ્‍ધ 250 લોકોને આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વાપીના ખ્‍યાતનામ મહિલા ચિત્રકાર જાગૃતિબેન કાંકરીયાને પણ આમંત્રણ મળ્‍યું હતું તેથી તેઓએ કાર્યક્રમના હિસ્‍સેદાર બન્‍યા હતા. આ પ્રસંગે જાગૃતિબેન સ્‍વરચિત અયોધ્‍યા મંદિરનું સુંદર કલાત્‍મક પેઈન્‍ટિંગ જગતગુરુ રામ ભદ્રાચાર્યને અર્પણ કર્યું હતું. જાગૃતિબેન દેશ-વિદેશમાં યોજાતા ચિત્ર એક્‍ઝિબિશનમાં સતત ભાગ લેતા રહેલા છે તેમજ તેમની કૃતિઓ વિજેતા રહી છે. જાગૃતિબેન છરવાડા રોડ વાપી ગુંજન રાજ રેસિડેન્‍સીમાં નિવાસ કરેછે.

Related posts

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આણંદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી નેતૃત્‍વ અને પ્રબંધન વિકાસની તાલીમ

vartmanpravah

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

વલસાડ આઈટીઆઈ ખાતે ‘હોમ આયા’ કોર્સની કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે શરૂઆત કરાવી

vartmanpravah

Leave a Comment