March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

  • વર્તમાનપ્રવાહના અદ્યતન ઓરિએન્‍ટ વેબ ઓફસેટની કામગીરીથી વિદ્યાર્થીઓ પ્રભાવિત

  • વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓએ ગારમેન્‍ટ, જ્‍યુસ ફેક્‍ટરી તથા ઈંટના ભઠ્ઠાની પણ લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ નાની દમણના દાભેલ ખાતે આવેલ ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની મુલાકાત લઈ સમાચાર પત્રના નિર્માણની કામગીરી જાણી હતી.
‘વર્તમાન પ્રવાહ’ પ્રેસના સિનિયર પ્રોડક્‍શન મેનેજર શ્રી સંદિપ યાદવ અને શ્રી લક્ષ્મણરાવ પરાપથિએ વિદ્યાર્થીઓને અદ્યતન ઓરિએન્‍ટ વેબ ઓફસેટમાં કલાકની 30,000 કોપીની ઝડપથી છપાતી પ્રક્રિયાની સમજ આપી હતી. વિદ્યાર્થીઓને પ્‍લેટ મેકિંગ મશીન અને સિસ્‍ટમની પણ જાણકારી આપી હતી. ‘વર્તમાન પ્રવાહ’ પોતાની સત્‍યનિષ્‍ઠા, તટસ્‍થતાની સાથે સુદૃઢ છપાઈ માટે જાણીતું સંઘપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતનું એક મોખરાનું દૈનિક છે. વિદ્યાર્થીઓ કામગીરી નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા.
વાત્‍સલ્‍ય શાળાના વિદ્યાર્થીઓએ ગારમેન્‍ટ ફેક્‍ટરી, જ્‍યુસ ફેક્‍ટરી તથા ઈંટ પકવવાના ભઠ્ઠાની પણ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રા દ્વારા મનોરંજનની સાથે સાથે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં પણ થતી વૃદ્ધિને ધ્‍યાનમાં રાખી વાત્‍સલ્‍ય સ્‍કૂલ મેનેજમેન્‍ટ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. જેવિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍ય માટે મદદરૂપ બનશે.
શૈક્ષણિક યાત્રાના સફળ આયોજનમાં શાળાના શિક્ષકોનું પણ વિશેષ યોગદાન રહ્યું હતું.

Related posts

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

vartmanpravah

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

vartmanpravah

વાપી જીઆઈડીસી પોલીસે બે મોબાઈલ ચોર પકડયા: બે બાઈક અને સાત મોબાઈલ કબજે કર્યા

vartmanpravah

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

vartmanpravah

Leave a Comment