Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

રામાભાઈ વાઘતને આંબા ડાળીકાપવાના ઝઘડામાં તુલસી મનસુ વાઘત અને પૂત્ર ચેતન તુલસીએ પતાવીને લાશ ફેંકી દીધી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: કપરાડા વિસ્‍તારમાં સામાન્‍ય બાબતોમાં ઝઘડા અને હત્‍યા કરવા સુધીના મામલા વારંવાર બનતા રહે છે. તેવો એક બનાવ કપરાડાના ઓઝરડા ગામે બન્‍યો હતો. માત્ર આંબાની ડાળી કાપવાના મામલે થયેલા ઝઘડાની અદાવત રાખી પિતા પૂત્રએ એક વૃધ્‍ધને મારી હત્‍યા કરી કોતરોમાં લાશ નાખી દીધી હતી. પોલીસે ગણતરીના દિવસમાં હત્‍યાના બનાવને માત્ર ચાર દિવસમાં ભેદ ઉકેલી પિતા-પૂત્ર સહિત સાતને જેલ ભેગા કર્યા હતા.
નજીવી બાબતનો ઝઘડો હત્‍યામાં પરિણમેલા બનાવની વિગતો મુજબ ઓઝરડા ગામે રહેતા રામાભાઈ સોમાભાઈ વાઘતે શુક્રવારે લાકડા કાપવા મજુરી કામે સવારે ઘરેથી નિકળ્‍યા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત નહી ફરતા પૂત્ર મુકેશ રામાભાઈએ પોલીસમાં પિતા ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા લઈને ચાંપતી તપાસ અને પૂછપરછ કરી હતી. જેમાં શુક્રવારે એક ઓળખીતો મોપેડ ઉપર બેસાડીને લઈ ગયેલ. આગળ જઈ ઉતારીને તુલસી મનસુ વાઘત અને તેનો પૂત્ર ચેતન તુલસી વાઘત અને અન્‍ય પાંચ સાથે સાતે જણાએ આંબાની ડાળ કેમ કાપી ને ઝઘડો કર્યા બાદ રામાભાઈ ઉ.વ.64ની હત્‍યા કરીને નજીકના ખનકા પાસેપથ્‍થરોમાં લાશને ફેંકી દીધી હતી. પોલીસ તપાસમાં પથ્‍થર ઉફર લોહીના ડાઘ જણાતા લાશ શોધી પીએમ માટે મોકલી આપી હતી. જેમાં મૃત્‍યુ બ્રેન હેમરેજથી થયાનું બહાર આવેલ તેથી પગેરુ પકડી પોલીસે પિતા પૂત્ર સહિત સાતને ઝડપી પાડી હત્‍યાનો ભેદ ઉકેલી દીધો હતો.

Related posts

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

vartmanpravah

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

vartmanpravah

પારડી મામલતદાર અને પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: સ્‍કૂલ નજીક ગુટખા વેચતા છ જેટલા દુકાનદારો દંડાયા

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

Leave a Comment