March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

રામાભાઈ વાઘતને આંબા ડાળીકાપવાના ઝઘડામાં તુલસી મનસુ વાઘત અને પૂત્ર ચેતન તુલસીએ પતાવીને લાશ ફેંકી દીધી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: કપરાડા વિસ્‍તારમાં સામાન્‍ય બાબતોમાં ઝઘડા અને હત્‍યા કરવા સુધીના મામલા વારંવાર બનતા રહે છે. તેવો એક બનાવ કપરાડાના ઓઝરડા ગામે બન્‍યો હતો. માત્ર આંબાની ડાળી કાપવાના મામલે થયેલા ઝઘડાની અદાવત રાખી પિતા પૂત્રએ એક વૃધ્‍ધને મારી હત્‍યા કરી કોતરોમાં લાશ નાખી દીધી હતી. પોલીસે ગણતરીના દિવસમાં હત્‍યાના બનાવને માત્ર ચાર દિવસમાં ભેદ ઉકેલી પિતા-પૂત્ર સહિત સાતને જેલ ભેગા કર્યા હતા.
નજીવી બાબતનો ઝઘડો હત્‍યામાં પરિણમેલા બનાવની વિગતો મુજબ ઓઝરડા ગામે રહેતા રામાભાઈ સોમાભાઈ વાઘતે શુક્રવારે લાકડા કાપવા મજુરી કામે સવારે ઘરેથી નિકળ્‍યા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત નહી ફરતા પૂત્ર મુકેશ રામાભાઈએ પોલીસમાં પિતા ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા લઈને ચાંપતી તપાસ અને પૂછપરછ કરી હતી. જેમાં શુક્રવારે એક ઓળખીતો મોપેડ ઉપર બેસાડીને લઈ ગયેલ. આગળ જઈ ઉતારીને તુલસી મનસુ વાઘત અને તેનો પૂત્ર ચેતન તુલસી વાઘત અને અન્‍ય પાંચ સાથે સાતે જણાએ આંબાની ડાળ કેમ કાપી ને ઝઘડો કર્યા બાદ રામાભાઈ ઉ.વ.64ની હત્‍યા કરીને નજીકના ખનકા પાસેપથ્‍થરોમાં લાશને ફેંકી દીધી હતી. પોલીસ તપાસમાં પથ્‍થર ઉફર લોહીના ડાઘ જણાતા લાશ શોધી પીએમ માટે મોકલી આપી હતી. જેમાં મૃત્‍યુ બ્રેન હેમરેજથી થયાનું બહાર આવેલ તેથી પગેરુ પકડી પોલીસે પિતા પૂત્ર સહિત સાતને ઝડપી પાડી હત્‍યાનો ભેદ ઉકેલી દીધો હતો.

Related posts

દમણમાં આજે વિશ્વ મત્‍સ્‍યપાલન દિવસની થનારી ઉજવણી : સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં કાર્યક્રમ

vartmanpravah

વાપી નગરપાલિકાએ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી : 96.24 ટકાકામગીરી

vartmanpravah

વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો

vartmanpravah

વાપી જીઆઈડીસીના પોકેટ ગાર્ડનો દુર્દશાગ્રસ્‍તઃ કંપનીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા ગાર્ડનની સાર સંભાળ વિસરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરટીઓ દ્વારા એક માસમાં નિયમનો ભંગ કરતા 1677 વાહનોને રૂ. 58 લાખનો દંડ ફટકારાયો

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક મણિલાલભાઈ પટેલ સેવા નિવૃત્તઃ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રયાસરત રહ્યા

vartmanpravah

Leave a Comment