January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

રામાભાઈ વાઘતને આંબા ડાળીકાપવાના ઝઘડામાં તુલસી મનસુ વાઘત અને પૂત્ર ચેતન તુલસીએ પતાવીને લાશ ફેંકી દીધી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: કપરાડા વિસ્‍તારમાં સામાન્‍ય બાબતોમાં ઝઘડા અને હત્‍યા કરવા સુધીના મામલા વારંવાર બનતા રહે છે. તેવો એક બનાવ કપરાડાના ઓઝરડા ગામે બન્‍યો હતો. માત્ર આંબાની ડાળી કાપવાના મામલે થયેલા ઝઘડાની અદાવત રાખી પિતા પૂત્રએ એક વૃધ્‍ધને મારી હત્‍યા કરી કોતરોમાં લાશ નાખી દીધી હતી. પોલીસે ગણતરીના દિવસમાં હત્‍યાના બનાવને માત્ર ચાર દિવસમાં ભેદ ઉકેલી પિતા-પૂત્ર સહિત સાતને જેલ ભેગા કર્યા હતા.
નજીવી બાબતનો ઝઘડો હત્‍યામાં પરિણમેલા બનાવની વિગતો મુજબ ઓઝરડા ગામે રહેતા રામાભાઈ સોમાભાઈ વાઘતે શુક્રવારે લાકડા કાપવા મજુરી કામે સવારે ઘરેથી નિકળ્‍યા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત નહી ફરતા પૂત્ર મુકેશ રામાભાઈએ પોલીસમાં પિતા ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા લઈને ચાંપતી તપાસ અને પૂછપરછ કરી હતી. જેમાં શુક્રવારે એક ઓળખીતો મોપેડ ઉપર બેસાડીને લઈ ગયેલ. આગળ જઈ ઉતારીને તુલસી મનસુ વાઘત અને તેનો પૂત્ર ચેતન તુલસી વાઘત અને અન્‍ય પાંચ સાથે સાતે જણાએ આંબાની ડાળ કેમ કાપી ને ઝઘડો કર્યા બાદ રામાભાઈ ઉ.વ.64ની હત્‍યા કરીને નજીકના ખનકા પાસેપથ્‍થરોમાં લાશને ફેંકી દીધી હતી. પોલીસ તપાસમાં પથ્‍થર ઉફર લોહીના ડાઘ જણાતા લાશ શોધી પીએમ માટે મોકલી આપી હતી. જેમાં મૃત્‍યુ બ્રેન હેમરેજથી થયાનું બહાર આવેલ તેથી પગેરુ પકડી પોલીસે પિતા પૂત્ર સહિત સાતને ઝડપી પાડી હત્‍યાનો ભેદ ઉકેલી દીધો હતો.

Related posts

રોકાણકારોને કરોડોનો ચુનો ચોપડનાર ચીખલી મજીગામના સમર ગ્રુપના બે ડિરેક્‍ટરો અને એક કર્મચારીના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

દાનહ આદિવાસી ભવનમાંથી ડોક્‍યુમેન્‍ટ ચોરીના કેસમાં અભિનવ ડેલકર પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા- કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાનહના મોટા રાંધાની નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડેમી શાળાના કેમ્‍પસ અને પરિસરની કરાયેલીછ સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment