September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં તારીખ 31મી ઓક્‍ટોબરને મંગળવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિના ઉપલક્ષમાં રાષ્‍ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવ્‍યો હતો. જેમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરી સરદાર વલ્લભભાઈ પટેલની ભારત સ્‍વતંત્રતા ચળવળના કાર્યો અને દેશના રજવાડાઓ સાથે ભારતના એકીકરણ માટે આપેલી મહત્ત્વની ભૂમિકા વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી તેમજ દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા સ્‍વયંને સમર્પિત કરી દેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. સરદાર પટેલના માનમાં બનાવેલ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સ્‍કૂલ ફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલે રાષ્‍ટ્રીય એકતા દિવસની શુભકામના પાઠવતા કહ્યુ કે ભારત ધર્મ, સંસ્‍કૃતિ, પરંપરાઓ અને ભાષાઓની વિવિધતાનો દેશ છે તેથી રાષ્‍ટ્રની એકતા જાળવવી જરૂરી છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ એ છે કે ભારતીય ઈતિહાસમાં સરદારપટેલના મહાન યોગદાન વિશે જાગૃતિ ફેલાવવુ તેમજ બાળકોના તન-મનમાં દેશભક્‍તિની ભાવના જાગૃત કરવુ. આ સાથે હાથમાં નારાના બેનરો લઈ જોર જોરથી નારાનું ગુંજન કરતા વિદ્યાર્થીઓની શાળાની આસપાસના વિસ્‍તારમાં રાષ્‍ટ્રીય એકતા રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન બાળકો પ્રફુલ્લિત અને જોશીલા લાગી રહ્યા હતા અને તેમના ચહેરા પર અનોખી ખુશી જણાઈ રહી હતી. સ્‍કૂલ ચેઅર પર્સન લાયન હિના પટેલે બાળકોને રોજબરોજના કાર્યો કરતા કેવી રીતે દેશ હિતના કાર્યો કરી શકાય તે વિશે માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ મહિલા મોર્ચાની વધનારી સક્રિયતાઃ હવે દરેક લાભાર્થી સાથે સેલ્‍ફી લેશે

vartmanpravah

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

કપરાડામાં મહિલા સહાયતા કેન્‍દ્રનું ઉદઘાટન કરાયું

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

Leave a Comment